મુગલસરાયના પીડીડીયૂ જંક્શનની પાસે માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.
માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
જેના કારણે ડાઉન પ્રયાગરાજ પીડીડીયૂ રેલ ખંડ દિલ્હી- હાવડા રુટ પર ટ્રેનોની અવરજવર થપ
રેલ મેનેજમેન્ટ ટ્રેનોનો રુટ ડાયવર્ડ કરાવવા પર વિચાર કરી રહ્યું છે
માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
મુગલસરાયમાં માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. જેના કારણે ડાઉન પ્રયાગરાજ પીડીડીયૂ રેલ ખંડ દિલ્હી- હાવડા રુટ પર ટ્રેનોની અવરજવર થપ થઈ ગઈ છે. પ્રયાગરાજથી ચૂનાર સુધી અલગ અલગ સ્ટેશનો પર ટ્રેનોને રોકી દેવામાં આવી છે. સ્થળ પર પહોંચેલા રાહત દરના કર્મચારી રેલવે ટ્રેકને સાજી કરવામાં જોડાયેલા છે જેથી જલ્દીથી જલ્દી વાહનવ્યવહાર કાર્યરત થઈ શકે.
Chandauli: 8 wagons of a container train from Allahabad to Pt. DDU JCT derailed around 6:40 this morning. Restoration work underway; services interrupted on the said route. Trains on the route will either be diverted or will be coming via Vyas Nagar to DDU: Rajesh Kumar, CPRO,ECR pic.twitter.com/RvQ06iUg2c
રેલ મેનેજમેન્ટ ટ્રેનોનો રુટ ડાયવર્ડ કરાવવા પર વિચાર કરી રહ્યું છે
આ ઘટનાના કારણે જે ટ્રેનોને રોકવામાં આવી છે તેમાં પુરુષોત્તમ એક્સપ્રેસ, બ્રહ્મપુત્ર મેલ, મગઘ એક્સપ્રેસ, બેંગ્લૂરુ ભાગલુર એક્સપ્રેસ, અહમદાબાદ બરૌની એક્સપ્રેસ સામેલ છે. આના રેલ મેનેજમેન્ટ ટ્રેનોનો રુટ ડાયવર્ડ કરાવવા પર વિચાર કરી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે હાલમાં સાંજ સુધીમાં ટ્રેનોનું પરિચાલન શરુ નહીં થઈ શકે. મળતી માહિતી અનુસાર પીડીડીયૂ જંક્શનના ડફરપુરવા ગામની પાસે બુધવારે સવારે 8.40 વાગે આ ઘટના બની હતી.
સ્થળ પર પહોંચેલા કર્મચારીઓ રાહતના કાર્યમાં જોડાયા
માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. જેનાથી રેલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો. ત્યારે ડાઉન પ્રયાગરાજ પીડીડીયૂ રેલ ખંડ પર પ્રવાસી ટ્રેનોનું પરિચાલન ઠપ થઈ ગયુ. સ્થળ પર પહોંચેલા કર્મચારીઓ રાહતના કાર્યમાં જોડાયેલા છે. માલગાડી પ્રયાગરાજ થી હાવડા જઈ રહી હતી. પીડીડીયૂ જંક્શનની પહેલા જ 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આનાથી પાટાને પણ 200 મીટર સુધી નુકશાન પહોંચ્યું છે. આ ઉપરાંત ઓએચઈ તાર પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયુ.