સુશાંત સિંહ રાજપૂત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તી અને કેટલાક અન્ય લોકો સામે દાખલ એફઆઈઆરની નકલ મોકલવા માટે બિહાર પોલીસને કહ્યું હતું. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે આ કેસમાં નાણાં પડાવવાની તપાસ માટે એફઆઈઆરની નકલ માંગવામાં આવી છે.
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં વધુ એક વણાંક
EDએ નોંધ્યો મની લોન્ડરિંગનો કેસ
અધિકારીઓએ કહ્યું કે, કેન્દ્રીય તપાસ એજન્સીએ આ સંદર્ભમાં બિહાર પોલીસને પત્ર લખ્યો છે. ઇડી દ્વારા આ કેસની તપાસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ સંભવિત તપાસ માટે કરી રહી છે.
સુશાંતના પિતાએ નોંધાવી છે ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, સુશાંતના પિતા કૃષ્ણ કુમાર સિંહ (74) એ મંગળવારે રિયા ચક્રાવતી, તેના પરિવારના સભ્યો અને છ અન્ય લોકો સામે પુત્રને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાના આરોપમાં એફઆઈઆર નોંધાવી હતી.
સુશાંતના પિતાએ રિયા પર લગાવ્યા આરોપ
સુશાંતના પિતાએ કહ્યું કે, રિયાએ પોતાનું કેરિયર આગળ વધારવા માટે મે 2019 તેના દીકરા સાથે મિત્રતા વધારી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઇડી રાજપૂતના ધન અને તેના બેંક ખાતાના કથિત ખાતાના દુરઉપયોગના આરોપની તપાસ કરવા ઇચ્છે છે.
મુંબઇ પોલીસ પહેલેથી જ કરી રહી છે તપાસ
એજન્સી એ પણ તપાસ કરશે કે શું કોઈએ રાજપૂત નાણાંનો ઉપયોગ કાળા નાણાને સફેદમાં રૂપાંતરિત કરવા અને ગેરકાયદેસર સંપત્તિ બનાવી છે. ઇડી આરોપીની સંપત્તિ જોડી શકે છે અને તેને પીએમએલએ હેઠળ આરોપીની ધરપકડ કરવાનો પણ અધિકાર છે. સુશાંતસિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં મુંબઇ પોલીસ પહેલેથી જ તપાસ કરી રહી છે.