વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને જે સપનું દેખાડે છે તેને નીતિ આયોગે મોટો ઝટકો આપ્યો છે. નીતિ આયોગે કહ્યું છે કે 2025 સુધી ભારતને પાંચ ટ્રીલીયન અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર ઘણા સ્પીડ બ્રેકર્સ આવવના છે. ભારત સરકારના નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમમાં ભારતની પ્રજાને પાંચ ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવાના સપના બતાવે છે ત્યારે નીતિ આયોગનું આ કથનસરકારમાં ખળભળાટ મચાવે તેવું છે.
જો GDP 12.4% હશે તો જ પાંચ ડોલર ઈકોનોમી બની શકશે
જ્યાં બીજી તરફ મંદીના માહોલ વચ્ચે સ્ટેટ બેન્ક પફ ઈન્ડિયાએ GDP 4.2% રહેશે તેવી આશંકા વ્યક્ત કરી
નિર્મલા સીતારામણે બજેટ પ્રસ્તુત કરતાં સમયે પાંચ ટ્રિલિયન ડોલરની વાત કરી હતી
GDP 12.4% હોય ત્યારે લક્ષ્ય સુધી પહોંચી શકાય
થિન્ક ટેન્ક દ્વારા કહેવામાં આવ્યું કે જો તમારે પાંચ ટ્રિલિયન ડોલર ઈકોનોમી જોઈતી હોય તો અત્યારે GDP ગ્રોથ રેટ ઓછામાં ઓછું 12.4%ના દરે હોવું જોઈએ. હાલ તો દેશમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકાર પીએસયુમાંથી પોતાનો હિસ્સો વેચીને પૈસા એકઠા કરે એવા દિવસો આવી ગયા છે. રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતની અર્થવ્યવસ્થા માટે ખરાબ સમાચાર છે ત્યારે ભારત સરકાર કઈ રીતે દેશની GDP 12.4%એ લઇ જશે તે મોટો સવાલ છે.
નિષ્ણાતોનું માનવું છે કે બીજા ત્રિમાસિક સત્રમાં ભારતની GDPમાં ભારે ઘટાડો જોવા મળી શકે
ભારત સરકાર આ મહિનાના અંત સુધી બીજા ત્રિમાસિક ક્વૉર્ટરના ડેટા રિલીઝ કરવાની છે.નિષ્ણાતોનું માનવું છે કે બીજા ત્રિમાસિક સત્રમાં ભારતની GDPમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ હાલમાં ભારતની GDP 4.2% રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામણે 5મી જુલાઈના રોજ દેશનું બજેટ પ્રસ્તુત કરતી વખતે કહ્યું હતું અમે દેશને 2025 સુધી પાંચ ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવા માટે પ્રયાસો કરી રહ્યાં છે. જે બાદ દેશની બધીજ વિપક્ષી પાર્ટીઓ દ્વારા સવાલ કરવામાં
આવ્યા હતા કે તમે કઈ રીતે સિદ્ધ કરી શકશો.
2017થી ટેક્સટાઇલની નિકાસ કરવામાં ખુબ ઘટાડો જોવા મળ્યો
નીતિ આયોગના સીઈઓએ એક પ્રેઝન્ટેશન દરમિયાન કહ્યું હતું કે રોકાણ અને વપરાશ આ બે જ એવી ચીજ છે જેનાથી ભારતની અર્થવ્યવસ્થાને ફરીથી ટ્રેક પર લાવી શકાય છે. તેમને જે ડેટા સામે મુખ્ય હતાં તેના પર નજર કરીએ તો ભારતની GDPમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. કાન્તે વધુમાં કહ્યું કે દેશની બેંકોમાં એનપીએ વધવાના કારણે લોકોને કેપિટલ મળતી નથી જેના કારણે ડોમેસ્ટિક માર્કેટમાં માંગ ઓછી જોવા મળે છે. નીતિ આયોગના ચીફે અહેવાલમાં જણાવ્યું કે ઊંચા કિંમતની ટેક્નોલોજીની નિકાસ કરવી જોઈએ .એક અહેવાલ મુજબ 98 ટકા મોબાઈલ ફોનની આફ્રિકન દેશોમાં કરવામાં આવી તે ખુબ નીચા દરની હતી. 2017થી ટેક્સટાઇલની નિકાસ કરવામાં ખુબ ઘટાડો જોવા મળ્યો છે. જુદા જુદા નાણાંકીય નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટાડાનું મુખ્ય કારણ હજાર અને પાંચસોની ચલણી નોટો બંધ કરવું છે. કારણ કે ટેક્સટાઇલ માર્કેટ મોટા ભાગે કેશ ઉપર નિર્ભર હતો.