રેટિંગ એજન્સી ક્રિસિલે ભારતના જીડીપી ગ્રોથ અનુમાનમાં મોટો ઘટાડો કર્યો છે. એજન્સીનું કહેવું છે કે કોરોના વાયરસ પર નિયંત્રણને માટે લૉકડાઉનથી અર્થવ્યવસ્થાને કુલ 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. જેના ભાગરૂપે લગભગ 7000 રૂપિયાનો ફટકો દરેક વ્યક્તિને પડી શકે છે.
રેટિંગ એજન્સી ક્રિસિલે કર્યું અનુમાન
લૉકડાઉનથી દેશની અર્થવ્યવસ્થાને થઈ શકે છે મોટું નુકસાન
ક્રિસિલે ભારતના નાણાંકીય વર્ષ 2020-21ના આર્થિક વૃદ્ધિદરને અડધાથી પણ ઓછો કરીને 1.8 ટકા કરી દીધો છે. એજન્સીએ કહ્યું કે કોરોના વાયરસ પર નિયંત્રણ માટે લૉકડાઉનથી અર્થવ્યવસ્થાને મળીને કુલ 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાનું અનુમાન છે. દરેક વ્યક્તિના આધારે આ નુકસાન લગભગ 7000 રૂપિયાનું રહેશે.
સરકારી સહયોગ વધવાની આશા
ક્રિસિલે કહ્યું છે કે સરકારી સહયોગમાં વૃદ્ધિ થવી જોઈએ. એજન્સીએ આ પહેલાં ચાલુ નાણાંકીય વર્ષના સમયે ઘરેલૂ ઉત્પાદનમાં 6 ટકા વૃદ્ધિનું અનુમાન દરેક વ્યક્તિએ લગાવ્યું હતું જેને માર્ચ અંતમાં ઘટાડીને 3.5 ટકા અને હવે 1.8 ટકા કર્યું છે.
દરેકે ઘટાડ્યો ગ્રોથ રેટ
ઉલ્લેખનીય છે કે દરેક રેટિંગ એજન્સીઓએ કોરોનાના કારણે ભારતીય અર્થવ્યવસ્થાના ગ્રોથ અનુમાનમાં ઘટાડો કર્યો છે. આંતરરાષ્ટ્રિય મુદ્રા કોષે કહ્યું હતું કે વર્ષ 2020માં ભારતના ઘરેલૂ ઉત્પાદન ગ્રોથ રેટમાં 1.9 ટકાની આસપાસ રહેશે. છતાં તે દુનિયામાં સોથી આગળ રહેશે. જો કે કોરોનાના કારણે દુનિયાના અનેક દેશોની અર્થવ્યવસ્થા નબળી પડશે અને 1930ની મહામંદી બાદની સૌથી મોટી મંદી આવી શકે છે.
ભારતીય ઈકોનોમીને માટે કોરોના વાયરસ સંકટ બની રહ્યું છે. પહેલાં તો સુસ્ત ગતિથી ચાલી રહેલી ઈકોનોમીનો ગ્રોથ રેટ 30 વર્ષના નીચેના સ્તરે આવી શકે છે. રેટિંગ એજન્સી ફિચે ભારતને ગ્રોથ રેટ અનુમાન ઘટાડીને 2 ટકા કર્યું છે. આ 30 વર્ષનું સૌથી નીચું સ્તર રહેશે.