મેનકા ગાંધીએ યૂપીના સુલ્તાનપુરમાં મુસ્લિમ સમુદાયને લઈને એક વિવાદિત નિવેદન કર્યુ હતુ. જેને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. જો કે મેનકા ગાંધીના નિવેદન બાદ કોંગ્રેસે મેનકા ગાંધીની ઉમેદવારી રદ કરવાની માગ કરી હતી. ચૂંટણી પંચે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીને વિવાદિત નિવેદનને લઈને એક શો કોઝ નોટિસ મોકલી છે.
ઉત્તરપ્રદેશ ચૂંટણી પંચે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીને વિવાદિત નિવેદનને લઈને એક શો કોઝ નોટિસ મોકલી છે. ઉલ્લેખનીય છે કે મેનકા ગાંધીએ યૂપીના સુલ્તાનપુરમાં મુસ્લિમ સમુદાયને લઈને એક વિવાદિત નિવેદન કર્યુ હતુ. જેને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. જો કે મેનકા ગાંધીના નિવેદન બાદ કોંગ્રેસે મેનકા ગાંધીની ઉમેદવારી રદ કરવાની માગ કરી હતી.
મુખ્ય ચૂંટણી અધિકારી બી.આર.તિવારીએ કહ્યું કે, કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના નિવેદનને ચૂંટણી પંચે પણ ધ્યાનમાં લીધુ છે. સુલ્તાનપુરના ડિસ્ટ્રીક્ટ મેનેજરે તેમને શો કોઝ નોટિસ પણ ફટાકરી અને તેનો રિપોર્ટ પણ મોકલવામાં આવ્યો છે. જોકે, મેનકા ગાંધીનું આ મામલે કહેવું છે કે મેં લઘુમતી સમાજની એક બેઠક બોલાવી અને તમે મારી પૂરી સ્પીચ જોશો તો ખબર પડી જશે.
મારી સ્પીચનું માત્ર એક જ વાક્યનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે અધૂરૂ છે. ઉલ્લેખનીય છે કે, સુલ્તાનપુરમાં રેલીને સંબોધન કરતા મેનકા ગાંધીએ કહ્યું હતુ કે, હું લોકોની મદદ અને પ્રેમના કારણે જીતી રહી છું. પરંતુ જો આ મારી જીત મુસ્લિમ સમુદાય વગર હશે તો મને સારુ નહીં લાગે. કારણ કે એનાથી પછી દિલમાં ખટાશ ઉભી થાય છે પછી જ્યારે કોઈ મુસ્લિમ વ્યક્તિ મારી પાસે કામ માટે આવે છે તો હું વિચાર કરૂ છું.
કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ શુક્રવારે સુલતાનપુર (ઉત્તરપ્રદેશ)ના તુરબ ખાની ગામમાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી. તેઓએ કહ્યું કે જો મુસ્લિમ મને વોટ નહીં આપે તો હું તેમને નોકરી નહીં આપી શકું. મને તે જરાય પસંદ નહીં પડે હું મુસ્લિમોના સહયોગ વગર આ ચૂંટણી જીતી જઉ. કોંગ્રેસે આ નિવેદનને અપમાનજનક ગણાવ્યું છે.
મેનકા ગાંધીએ કહ્યું કે, "આવું થવાથી મારી ભાવનાઓને ઠેસ પહોંચે છે. જો બાદમાં મુસ્લિમ મારી પાસે આવી કામ માગશે તો આ અંગે હું વિચારીશ. આનાથી શું ફર્ક પડે છે? બધું મળીને આ નોકરી એક પ્રકારની ડીલ છે."