છોટાઉદેપુર/તાપી: જિલ્લાના નસવાડી અનેક વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકાનો અનુભવ થયો છે. નસવાડીના સરકાર ફળીયા ચાર રસ્તા અને નટવરનગર વિસ્તારમાં રહેતા લોકો સાંજના સમયે અચાનક જ ભૂકંપની ધ્રુજારી આવી હતી. અને સીલિંગ ફેન પલંગ હળવા લાગ્યા હતા.
જ્યારે નટવર નગરના લોકો થોડીવાર માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપ બાબતે કાર્યપાલક નર્મદાના કેવડિયાનો ફોન ઉપર સંપર્ક કરતા 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ક્ષણ માટે હતો. ભૂકંપને લઇને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મહત્વનું છે કે તાપી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વ્યારા સહિત આજુબાજુના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માંગરોળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દક્ષિણથી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વાંકલમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.