માન્યતા અનુસાર ભૂકંપ પહેલાં પ્રકૃતિ કેટલાક ચોક્કસ સંકેતો આપે છે. કહેવાય છે કે પક્ષીઓ અને પ્રાણીઓને આ વિષે પહેલાંથી જ જાણ થઈ જાય છે.
ભૂકંપ પહેલા કુદરત આપે છે સંકેતો
પક્ષીઓનાં કલરવમાં થાય છે ફેરફાર
જ્યોતિષ શાસ્ત્ર અને ભૂકંપ વચ્ચે પણ રહેલો છે સંબંધ
તૂર્કામાં આવેલા વિનાશકારી ભૂકંપમાં હજારો લોકોનું મોત થયું છે. એવું માનવામાં આવે છે કે ભૂકંપ આવવાથી પહેલા કુદરત જરૂરથી સંકેતો આપે છે. માન્યતા અનુસાર પક્ષીઓ અને પ્રાણીઓને આ વિષે પહેલાંથી જ જાણ થઈ જાય છે. પ્રકૃતિમાં ખુબ શક્તિ રહેલી છે. કુદરત જો માનવનું સર્જન કરે છે તો પોતાના પ્રકોપથી સૃષ્ટિનો નાશ કરવાની પણ શક્તિ ધરાવે છે. ત્યારે એવું માનવામાં આવે છે કે ભૂકંપ આવવાથી પહેલા પણ કુદરત સંકેતો આપે છે ત્યારે આપણે આ સંકેતો પર કેટલું ધ્યાન આપીએ છીએ તે આપણાં ઉપર નિર્ભર કરે છે.
પ્રકૃતિ આપે છે સંકેતો
પ્રકૃતિને આ વાતનો અંદાજો પહેલાંથી જ આવવા લાગે છે કે હવે ભૂકંપ આવશે. એટલું જ નહીં પ્રાણીઓ અને પક્ષીઓની પણ હલચલમાં ફેરફારો જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે માત્ર પક્ષીઓ નહીં પરંતુ કૂતરાઓ પણ પોતાની અલગ-અલગ અવાજોથી લોકોને સચેત કરવાનું કામ કરે છે પરંતુ આપણે આ ઈશારાઓને સમજી શકતાં નથી. ઉંદર, સાંપ વગેરે જેવા પ્રાણીઓ પોતાનું ઘર ત્યજીને બહાર નિકળવા માંડે છે. અને તમામ પ્રાણીઓ એકાએક અલગ પ્રકારનો અવાજ કરવા લાગે છે.
વાતાવરણમાં થાય છે ફેરફાર
કહેવામાં આવે છે કે ભૂકંપ પહેલાં વાતાવરણમાં અનેક ફેરફારો આવે છે. તાપમાન અતિશય વધી જવું કે અચાનક જ તાપમાનમાં નોંધનિય ઘટાડો આવે છે. ક્યારેક તો મોબાઈલ સિગ્નલમાં પણ ગરબડ શરૂ થઈ જાય છે. ટી.વી કે રેડિયો સિગ્નલમાં પણ નોંધનિય ફેરફારો જોઈ શકાય છે.
તુર્કીનાં ભૂકંપની 3 દિવસ પહેલા થઈ હતી ભવિષ્યવાણી
ભૂકંપ મોટાભાગે ગૃહોની ચાલ પરથી નક્કી થાય છે. તુર્કી-સીરિયા માટે ભૂકંપની ભવિષ્યવાણી તો 3 ફેબ્રુઆરીનાં રોજ જ થઈ ચૂકી હતી અને તેના 3 દિવસ બાદ વિનાશકારી ભૂકંપ તુર્કીમાં આવ્યો હતો.
જ્યોતિષ શાસ્ત્ર અને ભૂકંપ
જ્યોતિષ શાસ્ત્રની વાત કરીએ તો જ્યારે આકાશમાં મંગળ અને શનિ ગ્રહ એકબીજાની 180 ડિગ્રીની દૂરી પર હોય કે બુધ ગ્રહ વૃષભ અને વૃષિક રાશિમાં થઈને બુધ સાથે સંયોગ કરી રહ્યો હોય ત્યારે ભૂકંપ આવવાની શક્યતાઓ સૌથી વધારે રહે છે. એવી જ રીતે નેપચ્યૂન યૂરેનસને બુધની દ્રષ્ટિથી પ્રભાવિત કરી રહ્યો હોય તો ભૂકંપ આવવાની સંભાવના વધી જાય છે.