રવિવારના દિવસે નેપાળની રાજધાની કાઠમંડુમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, જેની અસર છેક બિહાર સુધી વર્તાઈ હતી.
નેપાળની રાજધાની કાઠમંડુમાં ભૂકંપ આવ્યો
5.5ની તિવ્રતાના આંચકા અનુભવાયા
બિહારના કેટલાય જિલ્લામાં તેની અસર વર્તાઈ
નેપાળની રાજધાની કાઠમંડુમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. અહીં 5.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ જણાવ્યું કે, સવારે લગભગ 7.58 પર ઝટકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે, બિહારના કેટલાય જિલ્લામાં તેની અસર વર્તાઈ હતી. લોકોનું કહેવુ છે કે, તેમને પણ ઝટકા અનુભવાયા હતા.
Earthquake tremors felt in Kathmandu, Nepal
An earthquake of magnitude 5.5 on the Richter scale occurred 147 km east-southeast of Kathmandu, Nepal at 0758 hours: National Center for Seismology
રવિવારનો દિવસ છે અને રજાનો દિવસ હોવાથી લોકો પોતાના ઘરે જ હતા. ત્યારે આવા સમયે સવાર સવારમાં ભૂકંપના ઝટકાથી લોકોમાં હડકંપ મચી ગયો હતો. ઝટકા આવતા લોકો ઘરોમાંથી બહાર ભાગવા લાગ્યા હતા. સારી વાત એ છે કે, આ ભૂકંપમાં કોઈ જાન માલનું નુકસાન થયુ નથી.
ધરતી મુખ્ય રીતે ચાર પરત પર બનેલી છે. ઈનર કોર, આઉટર કોર, મેનટલ અને ક્રસ્ટ. ક્રસ્ટ અને ઉપરી મેન્ટલ કૌરને લિથોસ્ફેયર કરે છે. તે 50 કિલોમીટરની મોટી પરત કેટલાય વર્ગોમાં વહેચાયેલી હોય છે. જેને ટેકટોનિક પ્લેટ્સ કહેવાય છે. આ ટેકટોનિક પ્લેટ્સ પોતાની જગ્યા પર કંપન કરતી રહે છે અને જ્યારે આ પ્લેટમાં વધારે કંપન થાય છે તો ભૂકંપ અનુભવાય છે.
જાણો ભૂકંપનું કેન્દ્ર અને તીવ્રતાનો અર્થ
ભૂકંપનું કેન્દ્ર તે સ્થાન હોય છે જે ઠીક નીચે પ્લેટોમાં હલચલથી ધરતી હલવા લાગે છે. આ સ્થાન પર અથવા તેની આસપાસના વિસ્તારમાં ભૂકંપની અસર વધારે દેખાય છે. જો રિક્ટર સ્કેલ પર 7 અથવા તેનાથી વધારે તીવ્રતાવાળો ભૂકંપ છે, તો આજૂબાજૂના 40 કિમીના દાયરામાં ઝટકા અનુભવાય છે.