ગુજરાતમાં રસીકરણ, હોસ્પિટલમાં ખાલી બેડ, વિધાનસભા સત્ર, પત્રકારોને વેક્સિન અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે.
ગઇકાલે ગુજરાતમાં 1500થી વધારે કોરોનાના કેસ નોંધાયા
રવિવારે રજાના દિવસે પણ વેક્સિનેશન કાર્યક્રમ ચાલુ
કુલ 36,45,355 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા
વેક્સિનેશનને લઇને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, આજે પણ રાજ્યમાં નિયમીત વેક્સિનેશન ચાલુ છે. રવિવારે રજાના દિવસે પણ વેક્સિનેશનની કામગીરી કરાઇ છે. આપણી પાસે વેક્સિનનો પૂરતો જથ્થો આવ્યો છે.
હોસ્પિટલમાં ખાલી બેડ અંગે નીતિન પટેલે જણાવ્યું છે કે, હોસ્પિટલોમાં 70%થી વધુ બેડ ખાલી છે. તમામ હોસ્પિટલોમાં બેડની પૂરતી વ્યવસ્થાઓ છે. રોજ 2 લાખથી વધુ લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક છે.
વિધાનસભા સત્ર અંગે નીતિન પટેલે જણાવ્યું કે, વિધાનસભા સત્રની કામગીરી ચાલુ રખાશે. બજેટ સત્ર ટૂંકાવવાની કોઇ વિચારણા નથી. એવી કોઇ ગંભીર પરિસ્થિતિ પણ નથી. કોરોના સંક્રમણ થાય તે સારવાર મેળવી રહ્યાં છે. બજેટ સત્ર પૂર્ણ કરવું જરૂરી છે.
પત્રકારોને વેક્સિન આપવા અંગે નીતિન પટેલે જણાવ્યું કે, પત્રકારોને વેક્સિન આપવા માટે મંજૂરી માગી છે. પત્રકારોને પણ વેક્સિન માટે મંજૂરી માગી છે. મંજૂરી મળ્યા બાદ પત્રકારોને વેક્સિન અપાશે. વ્યવસાયિક જૂથના લોકોને પ્રાયોરિટી આપવા વિનંતી કરી છે. પત્રકારો પણ જાહેર સ્થળો, હોસ્પિટલોમાં જઇ રિપોર્ટિંગ કરે છે.
ગુજરાતમાં કેટલા લોકોને અપાઇ રસી?
રાજ્ય સરકારે 21 માર્ચના રોજ જાહેર કરેલા આંકડા અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધીમાં 30,48,462 લોકોનું પ્રથમ ડોઝનું અને 5,96,893 લોકોનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 36,45,355 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. ગઇકાલે 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 2,09,305 લોકોનું રસીકરણ કરાયું છે.
વેક્સિનેશન અંગે વિધાનસભા ગૃહમાં DyCMએ કરી હતી જાહેરાત
વિધાનસભા ગૃહમાં નીતિન પટેલે વેક્સિનેશનને લઈ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, રવિવારે રજાના દિવસે પણ વેક્સિનેશન કાર્યક્રમને ચાલુ રખાશે. PHC, CHC સેન્ટર પર રજા રદ કરી વેક્સિનેશન કાર્યક્રમ ચાલુ રખાશે. ધારાસભ્યો પોતાના વિસ્તારમાં વેક્સિન લઇ શકશે. વધુમાં વધુ લોકોને વેક્સિન આપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
વધતા કેસ અંગે શું બોલ્યા હતા DyCM?
ગઇકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ હતું કે, લોકોએ ગભરાવવાનું જરૂર નથી કોરોનાના કેસ ગંભીર આવતા નથી. કોરોનાના દર્દીઓને હળવા લક્ષણ હોવાથી ઘરે જ સારવાર કરાવી રહ્યા છે. કોરોનાના દર્દીઓને વેન્ટિલેટર પર રાખવાની હાલ જરૂર ઓછી પડી રહી છે. દર્દીઓ હાલ ખુબ ઝડપથી સાજા થઈ જાય છે. મોટા ભાગના દર્દીઓ ઘરે જ સારવાર કરીને સાજા થઈ રહ્યા છે. વેક્સિનની અસર સારી છે પરંતુ કોરોનાથી ભયમુકત રહેવાની જરૂર નહીં. બે ડોઝ લીધા બાદ 15 દિવસ પછી વેક્સિન પોતાનું કામ શરૂ કરશે. માત્ર વેક્સિન લીધી છે અને કોરોના નહીં થાય તેમ ભયમુક્ત ન ફરવા અપીલ કરી છે.
ચૂંટણીથી સંક્રમણ ફેલાયુ હોત તો દેશભરમાં કેસ ન વધ્યા હોત: DyCM
આ ઉપરાંત કોરોનાના કેસ પર વાત કરતા તેમણે કહ્યું કે, ક્રિકેટ મેચ જોવા ગયા અને કોરોના ફેલાયો તેવુ નથી. 60 લાખમાંથી 40, 50 હજાર લોકો ક્રિકેટ જોવા ગયા હતા. ચૂંટણી માત્ર ગુજરાતમાં યોજાઈ હતી પરંતુ કોરોના દેશભરમાં વધ્યો છે. રાજ્યોમાં આગામી સમયમાં ચૂંટણી યોજાઈ રહી છે. અમૂક લોકો માત્ર અનુમાન અને તારણ કાઢી રહ્યા છે. લોકોએ માસ્ક અને સામાજિક અંતર રાખવાની અપીલ કરાઈ છે.
કોરોનાની સ્થિતિ જોતા ગુજરાતમાં જાહેર રંગોત્સવ કાર્યક્રમ પર પ્રતિબંધ: DyCM
ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે હોળી ધૂળેટીની ઉજવણીને લઈને નિવેદન આપ્યું છે. કોરોનાની સ્થિતિ જોતા જાહેર રંગોત્સવ કાર્યક્રમ પર પ્રતિબંધ મુક્યો છે જ્યારે હોળી પ્રગટાવવાની મંજૂરી આપવામાં આવશે. રંગ છાંટવો અને ભીડ એકઠી કરવાની મંજૂરી આપવામાં આવ નથી.
ગઇકાલે ગુજરાતમાં 1500થી વધારે કોરોનાના કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સતત ચિંતામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગઇકાલે ફરી 1500થી વધારે કેસ સામે આવ્યા હતા. રાજ્યના સુરત અને અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. સુરત શહેરમાં 405 કેસ અને ગ્રામ્યમાં 105 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 443 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 8 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 112 કેસ, જ્યારે ગ્રામ્યમાં 20 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 109 કેસ અને ગ્રામ્યમાં 21 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...