ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકની પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતની આઠ બેઠકની પેટાચૂંટણી કોરોનાની મહામારી વચ્ચે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પેટા ચૂંટણીની જાહેરાત બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ કરી હતી.
ભાજપ 8 બેઠકો પોતાના નામે કરશેઃ DyCM
કોંગ્રેસના 8 ધારાસભ્યો કોંગ્રેસ નેતૃત્વ સામે નારાજ હતા: DyCM
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન અને 10 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ પુરજોશમાં કઈ બેઠકો પર ક્યા ઉમેદવારને ઊભા રાખવા તે અંગે મંથન કરી રહ્યા છે. ત્યારે પત્રકારોને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર ચૂંટણીને લઈને પ્રહાર કર્યા હતા.
DyCM નીતિન પટેલે વિશ્વાસ વ્યકત કર્યો છે કે ભાજપ 8 બેઠક પર વિજય મેળવશે. કોંગ્રેસના 8 ધારાસભ્યો કોંગ્રેસ નેતૃત્વ સામે નારાજ હતા કોંગ્રેસ નેતૃત્વ ધારાસભ્યોની વાત સાંભળતું નહોતું તેના કારણે આ પ્રકારનો રોષ ધારાસભ્યોમાં હતો અને તેમણે રાજીનામા આપ્યા હતા. કોંગ્રેસમાં અસંતોષ અને નારાજગી જોવા મળી રહી છે.
DyCMએ વધુમાં કહ્યું કે, કોરોના મહામારીમાં પણ સંગઠને કામ કરી રહ્યું છે. સરકારે કોરોના કાળમાં અનેક યોજનાઓ જાહેર કરાઇ છે. લોકોની મુશ્કેલીની ધ્યાને રાખી સરકારે રાહત આપી છે. જનતાની આર્થિક સમસ્યાઓ દૂર કરવા યોજનાઓ જાહેર કરાઇ છે.