બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dwarka Salaya removed illegal pressure Police deployment
Ajit Jadeja
Last Updated: 04:57 PM, 11 March 2024
SalayaNews: રાજ્ય સરકાર દ્વારા સરકારી જમીનો પર ગેરકાયદે દબાણો દૂર કરવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજે દ્વારકાના સલાયામાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. સલાયા બંદરે જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. રેલવેની જમીન પર છેલ્લા ઘણા સમયથી કાચા-પાકા મકાનબાંધી રહીશો વસવાટ કરી રહ્યા હતા. આ ગેરકાયદે બાંધકામને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા છે.
જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરી રેલવે વિસ્તારની જમીન પર દબાણ કરવામાં આવ્યુ હતું. આ દબાણો દૂર કરવા માટે રહીશોને તંત્રએ વારંવાર નોટિસો આપી હતી. પરંતુ તેમ છતાં રહીશો દ્વારા અવગણના કરવામાં આવતી હતી. જેને પગલે તંત્ર દ્વારા લાલઆંખ કરવામાં આવી છે. તંત્ર દ્વારા પોલીસ કાફલા સાથે અહી પહોચ્યા હતા જેને પગલે સવારથી જ માહોલ તંગ બન્યો હતો. પરંતુ મોટીસંખ્યામાં પોલીસ કાફલો હાજર હોવાથી કોઇ અનિચ્છનિય ઘટના બની ન હતી. જો કે સ્થાનિક રહીશોમાં નારાજગી જોવા મળી રહી હતી.
ઘરવીહોણા બની ગયેલા લોકોએ તંત્ર સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. કેટલાક લોકોએ બુલડોઝર ફરી વળે એ પહેલા જ ઘરમાંથી પોતાની ઘરવખરી ખાલી કરી હતી. જે રહીશો દ્વારા દબાણ હટાવવાનો ઇનકાર કરવામાં આવ્યો આવા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. નોધનીય છે કે, આ જમીન રેલવે વિભાગની હતી. જેના પર છેલ્લા ઘણા સમયથી લોકોએ કબજો જમાવીને ઝુંપડા બાંધી દીધા હતા. અને વસવાટ કરવા લાગ્યા હતા. રેલવે તંત્રના ધ્યાને આવતા તેમણે રહીશોને જમીન ખાલી કરવા નોટિસ ફટકારી હતી જેની અવગણના કરવામાં આવતા રેલવેએ પોલીસની મદદ માંગી હતી. અને જેસીબી અને પોલીસ કાફલા સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા સરકારી જમીનો પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત દ્વારકામાં છેલ્લા એક અઠવાડિયાથી અનેક લોકોને નૉટિસો અપાઇને તંત્રને સાથ સહકાર આપવા કહેવાયું હતું. સ્વેચ્છાએ દબાણો નહી હટાવાતા દ્વારકામાં આજે દાદાનું બુલડોઝર ફરી વળ્યુ છે. સલાયાના જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં થયેલા દબાણ પોલીસ કાફલા સાથે જે.સી.બી. અને હિટાચી જેવા મશીનોથી હટાવી દેવાયા છે. અને રેલવે વિભાગની લાખો ફૂટ જમીન ખુલ્લી કરવામાં આવી છે.
નોધનીય છે કે રાજ્યમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી શરૂ કરાઇ છે. કચ્છના ખાવડામાં ગેરકાયદે બનેલી ત્રણ મદરેસાઓ પર બૂલડૉઝર કાર્યવાહી કરાઇ હતી. આ ત્રણેય મદરેસાઓને તોડી પડાયા છે. કચ્છ અને જામનગર જિલ્લામાં સર્વે અને નકશાના અભ્યાસ બાદ તંત્રએ પોલીસ ટીમને સાથે રાખીને દબાણ દૂર કર્યુ હતું. હજુ પણ રાજ્યમાં સરકારી જમીનો પર ખડકાયેલા દબાણો દુર કરવાની કાર્યવાહી આગળ ચાલુ રહેશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army