અમરેલીના બગસરામાંથી નકલી ખાતર ઝડપાયુ હતું. બગસરાના હામાપુર ગામેથી નર્મદા કેન નામનું નકલી ખાતર ઝડપાયું હતું. મળતી માહિતી મુજબ GNFCના અધિકારીઓએ ડમી ગ્રાહક બનીને આ કૌભાંડ ઝડપી પાડ્યું. 30 થેલી ખાતર અધિકારીઓએ જપ્ત કર્યું તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ GNFCના અધિકારીઓએ ડમી ગ્રાહક બનીને આ કૌભાંડ ઝડપી પાડ્યું. 30 થેલી ખાતર અધિકારીઓએ જપ્ત કર્યું તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે ખાતરની ડિલીવરી આપવા આવેલ વ્યક્તિ ફરાર થઈ ગઈ. મહત્વનું છે કે,GNFC દ્વારા છ વર્ષ પહેલા નર્મદા કેન નામનું ખાતર બનાવવામાં આવતુ હતું. પરંતુ હાલ નર્મદા કેન નામના ખાતરનું સંપૂર્ણ પ્રોડકશન બંધ કરી દેવામાં આવ્યુ છે. ત્યારે નર્મદા કેન નામનું નકલી ખાતર પકડાતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ જોવા મળ્યું હતું.
મહત્વનું છે કે, અમરેલીમાં નકલી ખાતરનો જથ્થો ઝડપાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. આ ડુપ્લીકેટ ખાતર પધરાવી ખેડૂતો સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી છે. 6 વર્ષથી આ ખાતરને GNFC દ્વારા બંધ કરાયુ છે.