17 મે એ ત્રાટકેલા વાવાઝાડા બાદ અનેક ગામેમાં વીજ પૂરવઠો ખોરવાયો છે હજુ પણ 1 હજારથી વધુ ગામોમાં અંધારપટ છવાયેલો છે, ત્યારે વીજ વિભાગની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે
17 મે એ ત્રાટકેલા વાવાઝાડા બાદ અનેક ગામેમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. જેના કારણે ગામાં અંધારપટ જેવી સ્થિતિ જોવા મળી હતી. ત્યારે વાવાઝોડાને કારણે હજુ પણ સૌરાષ્ટ્રના 1 હજારથી વધુ ગામોમાં અંધારપટ છવાયેલો છે, મહત્વનું છે આ ગામડોમાં અંધારપટ દૂર કરવા અને વીજ પરવઠો ફરીથી કાર્યરત કરવા વીજ વિભાગ રાત દિવસ એક કરી રહ્યું છે.
અનેક ગામોમાં વીજ પૂરવઠી બંધ
સૌરાષ્ટ્રમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી..જ્યારે એક સપ્તાહથી અનેક ગામોમાં વીજ પૂરવઠી બંધ છે ત્યારે વીજ પૂરવઠો કાર્યરત કરવા વીજ વિભાગ મથામણ કરી રહ્યું છે વીજ પૂરવઠ ન હોવાને કારણે અનેક સુવિધાઓ હજુ ગામ લોકોને મળી રહી નથી, વીજ પૂરવઠો શરૂ ન થતા પીવાના પાણીની મુશ્કેલી સર્જાઈ છે,
ઉનામાં વીજ વિભાગની સરાહનીય કામગીરી
સૌરાષ્ટ્ર સહિત ગીર સોમનાથના ઉનામાં પણ છેલ્લા સપ્તાથી વીજ વિભાગની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે, વીજ વિભાગના જણાવ્યા પ્રમાણે બે દિવસમાં ગ્રામ્ય વિસ્તારમાં વીજ પૂરવઠો કાર્યરત થઈ જશે. મહત્વનું છે કે વાવાઝોડાને કારણે સૌથી વધુ નુક્સાન વીજ વિભાગને થયું હતું અનેક જગ્યાએ વીજળીના થાંભલા, વીજ પોલ, ફીડરને નુક્સાન થતા વીજ કલેક્શન ખોરવાયું હતું.
મુહવા અને તળાજા ભારે નુકસાન
ઉર્જામંત્રી સૌરભ પટેલે ગઈ કાલે ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા તાલુકાની મુલાકાતે લીધી હતી, ઉર્જામંત્રીએ વાવાાઝોડાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રત્યક્ષ જઈ વીજ પૂરવઠો પુન:સ્થાનપિત થાય તે માટે હૈયાધારણા આપી હતી અને ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું.મહત્વનું છે કે વાવાઝોડાના કારણે મુહવા અને તળાજા તાલુકામાં વીજ થાંભલાને ભારે નુકસાન થયું છે.
વહિવટી તંત્રની કામગીરી સરાહનીય
ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં એક લાખથી વધુ થાંભલા ઉભા કરાયા છે. મહુવામાં ટીમો પણ વધારવામાં આવી છે હાલ 600 થી પણ વધુ લોકો આ કામગીરી સાથે જોડાયા છે જિલ્લામાં વીજળીને પુનઃસ્થાપિત કરવા માટે જિલ્લા વહિવટી તંત્રની કામગીરી પણ ખૂબ જ સરાહનીય રહી છે, વહીવટી તંત્ર દ્વારા રાત-દિવસ એક કરીને ઝડપથી લોકોને વિજળી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું છે. વધુમાં ઉર્જામંત્રી જણાવતા કહ્યું હતું કે પાણી પુરવઠા વિભાગ, શહેરી વિસ્તાર, કોવિડ સેન્ટરો અને એગ્રીકલ્ચર વિભાગોમાં ઝડપથી વીજળી પહોંચાડવા કામગીરી કરવામાં આવી રહી છે.
વીજ પૂરવઠો ફરી કાર્યરત થઈ જશે
હાલ ઉર્જા વિભાગના અધિકારીઓ અને વીજ પૂરવઠા વિભાગના કર્મચારીઓ રાત દિવસ એક કરી રહ્યા છે ત્યારે ગામલોકોને પણ આશા બંધાઈ છે કે થોડા દિવસમાં વીજ પૂરવઠો ફરી કાર્યરત થઈ જશે અને જનજીવન ફરી ધબકતું થઈ જશે..