ગુજરાતમાં 2002થી 2006 વચ્ચે થયેલા 17માંથી 3 એન્કાઉન્ટરને જસ્ટીસ એચ.એસ. બેદીની તપાસ કમિટીએ બનાવટી જાહેર કરી દીધા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા કમિટીના રિપોર્ટમાં સમીર ખાન કાસમ જાફર અને હાઝી ઈસ્માઈલના એન્કાઉન્ટરને બનાવટી ગણાવ્યા છે. સાથે જ આ એન્કાઉન્ટરમાં સામેલ 3 ઈન્સ્પેક્ટર અને 9 પોલીસકર્મીઓ પર કેસ ચલાવવા ભલામણ કરી છે. જોકે તેમણે આ વિરોધમાં આઇપીએસ અધિકારીઓની ભૂમિકા વિશે કોઈ ભલામણ નથી કરી.
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ બેદીની અધ્યક્ષતા વાળી મોનિટરીંગ કમિટીને આ 17 એન્કાઉન્ટરની તપાસની જવાબદારી સોંપાઈ હતી. કમિટીએ પોતાના રિપોર્ટમાં ગત વર્ષે ફેબ્રુઆરીમાં એક સીલબંધ કવરમાં રિપોર્ટ સોંપ્યો હતો. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે 9 જાન્યુઆરીએ કમિટીના ફાઈનલ રિપોર્ટને ગુપ્ત રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. સાથે જ આ અહેવાલ અરજદારોને સોંપવાનો આદેશ આપ્યો હતો જેમાં મશહૂર ગીતકાર જાવેદ અખ્તર પણ સામેલ છે. કમિટીએ સમીર ખાનના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને કસમ જાફરનાં પરિવારને 14 લાખ રૂપિયાનું વળતર આપવાનું પણ ભલામણ કરી છે.
ત્રણ એન્કાઉન્ટર પર સવાલ:
- 22 ઑક્ટોબર 2002ના રોજ સમીર ખાનનું અમદાવાદ ઉસ્માનપુરામાં પોલીસ કસ્ટડીથી ભાગતી વખતે એન્કાઉન્ટર
- 13 એપ્રિલ 2006ના રોજ કાસમ જાફર અમદાવાદમાં પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયો એક દિવસ પછી લાશ મળી
- 09 ઑક્ટોબર 2005ના રોજ હાજી હાજી ઇસ્માઇલે પોલીસની અટકાયત પર ગોળીબાર કર્યો બદલામાં પોલીસ દ્વારા 20 ગોળી મારવામાં આવી.