મોટાભાગના ડ્રાય ફ્રૂટ્સની તાસીર ગરમ હોય છે. ઉનાળામાં તેનું સેવન પલાળીને કરવું જોઈએ.
ઉનાળામાં આ રીતે કરો ડ્રાય ફ્રૂટ્સનું સેવન
મોટાભાગના ડ્રાય ફ્રૂટ્સની તાસીર હોય છે ગરમ
જાણો તેનાથી સ્વાસ્થ્યને થતા લાભ વિશે
ઉનાળામાં એવા ફ્રૂટ્સનું સેવન કરવામાં આવે છે જેની તાસીર ઠંડી હોય. આ આપણા શરીરને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે. આ સિઝનમાં સુકામેવાનું સેવન ઓછુ કરવામાં આવે છે. હકીકતે મોટાભાગના મેવાની તાસીર ગરમ હોય છે. જોકે યોગ્ય રીતે સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા મળે છે.
ઉનાળામાં ડ્રાય ફ્રૂટ્સનું સેવન પલાળીને કરવું જોઈએ. એમ કરવાથી તેની દરેક હીટ નીકળી જાય છે. સાથે જ તેને પચાવવું ખૂબ સરળ થઈ જાય છે. આવો જાણીએ ડ્રાય ફ્રૂટ્સનું સેવન તમે પલાળીને કઈ રીતે કરી શકો છો.
દ્રાક્ષ અને બદામ
બદામ, અખરોટ અને દ્રાક્ષ જેવા સુકામેવાને રાત્રે પાણીમાં પલાળીને રાખો. સવારે તેનું સેવન કરો. પાણીમાં પલાળીને રાખવાથી તેની બધી હીટ નિકળી જાય છે. આ સ્વાસ્થ્યને ખૂબ ફાયદો પહોંચાડે છે. બદામ મગજને તેજ કરે છે. અખરોટ કબજીયાત અને ખાંસી જેવી સમસ્યાને દૂર કરે છે. અખરોટમાં આયર્ન, કેલ્શિયમ, કોપર અને ઓમેગા 3 ફેટી એસિડ જેવા પોષક તત્વો હોય છે. ગરમીઓમાં તેનું વધારે માત્રામાં સેવન કરવાથી બચો. દ્રાક્ષમાં ઈમ્યુનિટી વધવાની સાથે વજન ઘટવામાં પણ મદદ મળે છે. ગરમીઓમાં દ્વાક્ષનું સેવન પલાળીને કરો. તે ખૂબ જ ગરમ હોય છે.
અંજીર
અંજીરને રાત્રે પાણીમાં પલાળીને બીજા દિવસે તેનું સેવન કરો. તેનાથી લોહીની કમી દૂર થાય છે. આ પાચન તંત્રને પણ સ્વસ્થ્ય રાખે છે. તેમાં ઝીંક, મેંગ્નીઝ, આયરન અને મેગ્નીશિયમ જેવા પોષક તત્વ હોય છે. આ બ્લડ ગ્લુકોઝ લેવલને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તેનું વધારે સેવન શરીરમાં પિત્ત વધારી શકે છે. તેની તાસીર ગરમ હોય છે.
સુકી દ્રાક્ષ
સુકી દ્રાક્ષમાં ફાઈબર, પોટેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે. આ શરીરમાં હિમોગ્લોબીન વધે છે. ઉનાળામાં તેનું સેવન પલાળીને કરવાથી સ્વાસ્થ્યને ખૂબ ફાયદો થાય છે.