તમે લોકોએ સવારે લીંબૂનું પાણી પીવાના ફાયદા સાંભળ્યા હશે. ક્યાં તો તમે પોતે સવારે લીંબૂનું પાણી પીતા હશો. પરંતુ શું તમે ક્યારે લીંબૂની છાલ સહિત ઉકાળીને આ પાણી પીવા માટે વિચાર્યું છે. જાણો એ પાણી પીવાથી શું ફાયદા થાય છે.
ઘણા લોકોની તાકાત હોય છે કે સવારે પોતાના દિવસની શરૂઆથ લીંબૂના પાણીથી કરે છે. જેનાથી એમનું વજન કંટ્રોલમાં રહે અને એની સાથે જ એનર્જીથી ભરપૂર રહે. પરંતુ શું તમે ક્યારે લીંબૂની છાલ સહિત ઉકાળેલા પાણી પીવા માટે વિચાર્યું છે. જી હાં સાંભળવામાં થોડું અજીબ લાગી રહ્યું છે પરંતુ લીંબૂમાં એવા પોષક તત્વ મળી આવે છે જે તમારા શરીરને અઢળક ફાયદા આપશે.
લીંબૂના પાણીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર મળી આવે છે. જેનાથી ભૂખ લાગતી નથી, જો તમે એને તમારા ડાયટમાં સામેલ કરીને દરરોજ સવારે ખાલી પેટ એનું સેવન કર્યું તો થોડાક દિવસોમાં તમને કેટલાક કિલો વજન સરળતાથી ઓછું થઇ જશે.
જો તમે લીંબૂને ઉકાળીને પાણી પીશો તો તમારા શરીરમાંથી ઝેરી તત્વ સરળતાથી બહાર નિકળી જશે. જેનાથી તમારું પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરશે.
લીંબૂમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન સી મળી આવે છે. જે કોલ્ડથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. આટલું જ નહીં એમાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે.
લીંબૂના પાણીમાં Citric અને Ascorbic નામનું એસિડ મળી આવે છે. જે તમને મેટાબૉલિઝમને ઠીક રાખવાની સાથે સાથે પીએચ લેવલ ઠીક કરે છે.
આવી રીતે બનાવો લીંબૂની છાલનું પાણી
સૌથી પહેલા એક પેનમાં પાણી ઉકાળો, ત્યારબાદ એમાં 6 લીંબૂ ધોઇને નાંખો, એને ઓછામાં ઓછું 5 મીનિટ સુધી ઉકળવા દો. પછી ગેસ બંધ કરી દો.
હવે એને ઠંડું થવા દો. ઠંડું થયા બાદ તમે એનું સેવન કરી શકો છો.