દીપા શર્મા જયપુરના આયુર્વેદ ડોક્ટર હતા. જે તે 9 લોકોમાં શામેલ હતા જેમના રવિવારે ભયાનક દુર્ઘટનામાં મોત થયા.
કિન્નોરની દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ
ડો. દીપા શર્માએ શેર કરી હતી તસ્વીર
આ તસ્વીરો થઈ રહી છે વાયરલ
હિમાચલમાં પહાડમાંથી પુલ પર પડેલી ચટ્ટાનના કારણે થયેલી દુર્ઘટનામાં પર્યટકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં એક ડોક્ટર પણ છે. જેમણે મોતની થોડી મિનિટો પહેલા જ ટ્વીટ કરી ઘણી તસ્વીરો શેર કરી હતી. તેના પર લોકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ડો. દીપા શર્માનું આ છેલ્લુ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને યુઝર્સ તેને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. કુમાર વિશ્વાસ સહિત ઘણી હસ્તીઓએ ટ્વીટ કરી દુર્ઘટનામાં તેમના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે.
#WATCH | Himachal Pradesh: Boulders roll downhill due to landslide in Kinnaur district resulting in bridge collapse; vehicles damaged pic.twitter.com/AfBvRgSxn0
ચટ્ટાનની નીચે આવી ગઈ કાર
દિપા શર્મા જયપુરના આયુર્વેદ ડોક્ટર હતા. જે તે 9 પર્યટકોમાં શામેલ હતા જેમના રવિવારે એક ભયાનક દુર્ઘટનામાં મોત થયા છે. કિન્નૌર જિલ્લામાં એક પુલ પર પહોડો પરથી ચટ્ટાન પડી ત્યારે તેમની કાર તેની ઝપટમાં આવી ગઈ હતી. જેના કારણે આ દુર્ઘટના બની. દુર્ઘટનાના થોડા સમય પહેલા દિપાએ ટ્વીટ કરી લખ્યું હતું, 'અમે ભારતના એ છેલ્લા પોઈન્ટ પર છીએ જ્યાં સામાન્ય નાગરીકોને જવાની આઝાદી છે.'
Standing at the last point of India where civilians are allowed. Beyond this point around 80 kms ahead we have border with Tibet whom china has occupied illegally. pic.twitter.com/lQX6Ma41mG
કેબીસી 7માં પણ થયા હતા શામેલ
જણાવી દઈએ કે દીપા શર્મા, 2013માં કોન બનેગા કરોડપતિમાં જોવા મળી હતી. કેબીસી 7માં દીપાએ શોમાં ભાગ લીધો હતો. જાણકારી અનુસાર દીપાએ શોમાં કુલ 6 લાખ 40 હજાર રૂપિયા જીત્યા હતા. ત્યાં સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનની સાથે પોતાની તસ્વીરો શેર કરી હતી.