આજે મંત્રીસમૂહની બેઠક આરોગ્યમંત્રી હર્ષવર્ધનની અધ્યક્ષતામાં મળશે. બેઠકમાં કોરોનાની સ્થિતિ અને રસીકરણ અંગે ચર્ચા થશે.
ભારતમાં સતત વધતા કોરોનાના કેસ
ડૉ.હર્ષવર્ધનની અધ્યક્ષતામાં આજે બેઠક
મંત્રીસમૂહની બેઠકમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ કારણે કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે એલર્ટ થઈ ચૂકી છે. દિલ્હી સહિતના અનેક રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ જાહેર કરાયો છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરાઈ છે.
Union Health Minister Dr Harsh Vardhan to chair the 24th meeting of the High-level Group of Ministers (GoM) on #COVID19 & the status of preparedness tomorrow.
સતત પીક પર કોરોનાની બીજી લહેર
ગુરુવારે દેશમાં કોરોનાના કુલ 1,26,789 નવા કેસ આવયા અને 685 લોકોના મોત થયા હતા. દેશમાં સંક્રમિતોનો કુલ આંક 1,29,28,574 થયો છે. મૃત્યુઆંક પણ વધીને 1,66,862 થઈ ચૂક્યો છે. દેશમાં સ્વસ્થ થયેલા સંક્રમિતોનો આંક 1,18,51,393 છે.
કુલ આટલી સંખ્યામાં થયા છે ટેસ્ટ
ICMRના અનુસાર બુધવાર સુધીમાં ભારતમા કોરોનાના કુલ 25,26,77,379 સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યા છે. તેમાંથી 12,37,781 સેમ્પલ ટેસ્ટ ફક્ત બુધવારે કરાયા છે. દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે વેક્સીનેશનને પણ ઝડપી બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમા 13,77,304ના સત્રમાં વેક્સીનના કુલ 9,01,98,673 ડોઝ આપવામાં આવ્યા છે.
ભારતમાં આવી છે સ્થિતિ
ભારતમાં કોરોનાના અત્યાર સુધીમાં સૌથી વધુ દૈનિક કેસ આવ્યા છે. દેશમાં કોરોનાના એક દિવસમાં નવા કેસ 1 લાખ 31 હજાર 878 થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાથી એક દિવસમાં 61 હજાર 829 દર્દી રિકવર થયા છે તો સાથે જ દેશમાં કોરોનાથી એક દિવસનો મૃત્યુઆંક પણ વધ્યો છે, ભારતમાં કોરોનાથી એક દિવસમાં 802ના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 9 લાખ 74 હજાર 233 થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 30 લાખ 57 હજાર 954 પહોંચી ચૂક્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 19 લાખ 10 હજાર 741 થઈ છે. તો દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 67 હજાર 694 પહોંચ્યો છે.