નોકરી કરતા લોકોને ઘણી સમસ્યાઓ સતાવે છે પરંતુ સૌથી મોટી સમસ્યા છે કે, ઑફિસ સમયમાં ઉંઘ આવે છે. કહેવાય છે કે લન્ચમાં ભાત ખાવાથી ઉંઘ આવે છે પરંતુ શું તમને ખબર છે કે એવા કેટલાક ખાદ્યપદાર્થ છે જેનું સેવન કરવાથી તમને ઑફિસમાં ઉંઘ આવી શકે છે. તો આવો જાણીએ એ ખાદ્યપદાર્થો વિશે.
ઑફિસમાં ટાળો આ ખાદ્યપદાર્થોનુ સેવન
ઉંઘ આવવાથી કામ પર થાય છે અસર
શક્કરીયા
શક્કરીયામાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ હોય છે, તેનું સેવન કરવાથી બોડી રિલેક્સ થઈ જાય છે. તેના કારણે શક્કરીયા દિવસમાં ખાવાને બદલે રાત્રે ખાવાની ટેવ પાડવી. તેનાથી રાત્રે ઊંઘ સારી આવશે.
પિસ્તા
દિવસમાં એકવાર એક મુઠ્ઠી ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ. તેના કારણે શરીર હેલ્ધી રહે છે. પરંતુ તે ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તા ન ઉમેરવા. જો પિસ્તા ખાવા હોય તો તેને રાત્રે ખાવા કારણ કે તે ઊંઘ લાવવા માટે જવાબદાર બની શકે છે. પિસ્તામાં પણ મેન્ગેશિયમ, પ્રોટીન અને વિટામિન બી6 હોય છે જે શરીરને રેલેક્સ કરી ઊંઘ લાવે છે.
હર્બલ ટી
કેટલાક લોકો ભોજન બાદ ગ્રીન ટી કે હર્બલ ટી પીતા હોય છે. પરંતુ તે જાણતા નથી કે તેનાથી ઊંઘ વધારે આવે છે. હર્બલ ટીમાં જે તત્વો હોય છે તે નસોને આરામ આપે છે અને તેના કારણે ઊંઘ આવવા લાગે છે. જો રાત્રે ઊંઘ ન આવતી હોય તો હર્બલ ટી પીવી જોઈએ.
ઓટ્સ
આજકાલ નાસ્તામાં ઓટ્સ ખાવાનું ચલણ વધ્યું છે. લોકો તેને હેલ્ધી ડાયટ માને છે પરંતુ ઓટ્સમાં જે મેલાટોનિન હોય છે જે બોડીને રિલેક્સ કરે છે અને આંખ ઘેરાવા લાગે છે. તેથી ઓટ્સ પણ રાત્રે લેવા માટે બેસ્ટ છે.
બદામ
પિસ્તાની જેમ બદામ પણ ઊંઘ માટે જવાબદાર ડ્રાયફ્રૂટ છે. તેમાં ટ્રાઈપ્ટોફેન અને મેગ્નીશિયમ હોય છે જે સ્નાયૂને આરામ આપે છે અને તેના કારણે ઊંઘ આવવા લાગે છે.