ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવાને લઇને નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેઓ પીએમ મોદી સમક્ષ અઠવાડિયામાં આ મુદ્દો ઉઠાવશે.
જમ્મૂ-કાશ્મીર મામલે ભારત અને પાકિસ્તાન બંને દેશોના પ્રમુખ સાથે વાત કરનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે નવું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે કાશ્મીર તણાવ પાછ ધર્મનો મહત્વનો હાથ છે. આ સાથે જ ટ્રમ્પે ફરી બંને દેશો વચ્ચે મધ્યસ્થતા કરવા ઇચ્છા વ્યક્ત કરી છે.
જમ્મૂ-કાશ્મીર પર ભારત સરકારના નિર્ણય પર પાકિસ્તાન ડરી ગયેલું છે. આ મુદ્દાને પાકિસ્તાને વિશ્વના અનેક દેશો સામે ઉઠાવ્યો હતો. જો કે અનેક દેશોએ આ ભારતનો આંતરિક મામલો હોવાનું જણાવ્યું હતું. આ મામલે હસ્તક્ષેપ કરવા અમેરિકાએ પણ ઇનકાર કર્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારના રોજ કહ્યું છે કે તેઓ કાશ્મીરની તણાવપૂર્ણ સ્થિતિ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બીજી વખત ચર્ચા કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ ચર્ચા ડોનાલ્ડ ટ્રમ્પ જી-7 સમિટ દરમિયાન કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે ફ્રાંસમાં યોજાનાર જી-7 સમિટમાં હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રહીશ. મેં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે પણ અલગથી વાતચીત કરી હતી. જેને લઇને યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક ફરી જમ્મૂ-કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવા તૈયાર હોવાનું જણાવ્યું.
#WATCH Washington DC:US President Donald Trump reacts on Kashmir issue, says "...There are tremendous problems between those 2 countries. I'll do the best I can to mediate or do something. Great relationship with both of them. But they aren't exactly friends at this moment"(20.8) pic.twitter.com/DiZrn4u5Mq