દરિયાઈ જીવસૃષ્ટિના અભ્યાસુઓ અને દરિયામાં ઊછળતી - કૂદતી ડોલ્ફિન જોવાનો આનંદ માણનારાઓ ગોવા અને આંદામાન - નિકોબારની સફર ખેડતા હોય છે, પણ હવે ગુજરાતીઓએ એટલે દૂર સુધી જવાની જરૂરત નથી. પણ ગુજરાતના આ દરિયા કિનારે તમને આ નખરાળીના નખરા જોઈને દંગ રહી જશો.
પોરબંદરના સમુદ્ર કિનારે ડોલ્ફીને દેખા દીધા
7 થી 8 જેટલી ડોલ્ફીન આવતા લોકો જોવા દોડ્યા
વન વિભાગના અધીકારીઓ પણ ડોલ્ફીનનું નીરિક્ષણ કરવા પહોંચ્યા
પોરબંદરના દરિયાકિનારે ડોલ્ફિને દેખા દીધા છે. એહીં 7થી 8 ડોલ્ફિનનું ઝુંડ મસ્તી કરતું નજરે પડ્યું હતુ ત્યારે પોરબંદરના દરિયે વનવિભાગના અધીકારીઓ ડોલ્ફિલનનું નિરિક્ષણ કરવા ઉમટી આવ્યા હતા અને લોકોના ટોળે ટોળા અ નખરાળીઓના નખરા જોવા ઉમટી પડ્યા હતા.
પોરબંદરનો દરિયો અદ્ભૂત છે
પોરબંદરનો દરિયો ડોલ્ફિન માછલીને અનુકૂળ હોવાથી આ સાઈટ પર ડોલ્ફિન મોટા પ્રમાણમાં જોવા મળે છે. સાહસિક પ્રવાસો કરતી અનેક સંસ્થાઓ ખાસ કરીને શિયાળાની ઋતુ શરૃ થાય ત્યારે પોરબંદર અને જામનદર તેમજ દ્વારકાના ટાપુનો પ્રવાસ ગોઠવતી હોય છે. મોટા ભાગે બે - ત્રણ દિવસના પ્રવાસમાં જ આ દરિયાઈ જીવ સૃષ્ટિ જોવાનો ભરપૂર આનંદ લઈ શકાય છે.
દરિયાઈ જીવ સૃષ્ટિના અભ્યાસ માટે ગુજરાતમાં ચાર સાઈટ ખૂબ જાણીતી
દરિયાઈ જીવ સૃષ્ટિના અભ્યાસ માટે ગુજરાતમાં ચાર સાઈટ ખૂબ જાણીતી છે. તેમાં નરારા, પીરોટન, પોશીત્રા અને ડન્ની પોઈન્ટ. માત્ર જામનગર જિલ્લાની જ વાત કરીએ તો 42 જેટલા ટાપુઓ આવેલા છે. તેમાં દ્વારકાની નજીકમાં જ 22 જેટલા ટાપુઓ છે. દરિયાઈ જીવ સૃષ્ટિને જોવાનો અને તેનો અભ્યાસ કરનારા માટે જામનગર અને દ્વારકા એરિયા ફેવરિટ છે. દરિયાઈ જીવ સૃષ્ટિના જતન માટે સરકારે 1982ના મરિન નેશનલ પાર્ક જામનગર જિલ્લામાં જાહેર કર્યો છે.