ભારતમાં નશાનું સેવન હંમેશા ખરાબ માનવામાં આવ્યું છે. સિગરેટ, દારૂ, અફીણ કે તમાકુ દરેક વસ્તુને ખરાબ ગણવામાં આવ્યું છે પરંતુ આપણે જોઇએ છે કે જે વ્યક્તિ ટેન્શનમાં હોય છે તે વધારે નશો કરે છે.
આલ્કોહોલના સેવનથી દુઃખ દૂર થાય?
સિગરેટ તણાવ દૂર કરે છે?
AIIMSના એક્સપર્ટ શું કહે છે?
AIIMSના ડૉક્ટર ઓફ સાઇકેટ્રીમાં પ્રોફેસર ડૉ. નંદ કુમાર કહે છે કે સિનેમા સામાન્ય લોકોના જીવન પર અસર પાડે છે. કારણકે લોકો પોતાને સિનેમાના કોઇ સિન સાથે જોડી લે છે. તેમને લાગે છે કે જેમ હીરોને માનસિક શાંતિ મળે છે તેમ તેમને પણ મળશે. ફિલ્મોમાં દારૂ અને સિગરેટનું સેવન સૌથી વધારે બતાવવામાં આવે છે.
મગજ થઇ જાય છે એક્ટિવ
જ્યારે વ્યક્તિ પરેશાન હોય છે તો તેનું મગજ સતર્ક થઇ જાય છે. તે વ્યક્તિ ઓવર એક્ટિવ થઇ જાય છે. રેસ્ટલેસ ફીલ કરે છે અને એંગ્ઝાયટી વધી જાય છે. એવામાં જો વ્યક્તિ આલ્કોહોલ લે છે તો તે મગજની નસોને ડિપ્રેસ કરે છે અને જૂની વસ્તુઓ થોડા સમય માટે ભૂલી જાય છે. માટે તેને લાગે છે કે તેનું દુઃખ દર્દ ઓછુ થઇ ગયું છે. તેને સારું ફીલ થાય છે અને તે વધારે ને વધારે નશો કરે છે.
આલ્કોહોલનો અસર ઉતરે ત્યારે...
નંદ કુમાર કહે છે કે જ્યારે આલ્કોહોલની અસર ઓછી થાય છે ત્યારે તેની મુશ્કેલીઓ પાછી યાદ આવી જાય છે અને સતત દારૂનું સેવન કરે છે. દારૂની માત્રાનું શરીર આદતી થઇ જાય છે. જેની શરીર પર ખરાબ અસર પડે છે અને વ્યક્તિ પહેલા કરતા પણ મુશ્કેલીમાં અને દુઃખી ફીલ કરવા લાગે છે.
દારૂ પીને ખુલીને વાત કરે છે
આ સિવાય વ્યક્તિ જ્યારે દારૂ પીવે છે ત્યારે નેચરલ સોશ્યલ ઇમિટેશન ખતમ થઇ જાય છે. બાદમાં તે કોઇની પણ સાથે ખુલીને વાત કરે છે. અલગ પ્રકારનો કોન્ફિડન્સ આવી જાય છે. ત્યારે કોઇ સાહસિક કામ કરવું હોય છે ત્યારે લોકો આલ્કોહોલનું સેવન કરે છે.