અમદાવાદમાં કોરોનાના 31 મૃતકની ઓટોપ્સી પરથી ખબર પડી કે કોરોનામાં મૃતકોના ફેફસાં પથ્થર જેવા કઠણ થઈ ગયાં હતાં તો 50 ટકાને ફંગલ ઇન્ફેક્શન જોવા મળ્યું,બી.જે. મેડિકલ કોલેજના 18 ડોક્ટરોની ટીમે કર્યો કોરોનાના મૃતકો પર કર્યો અભ્યાસ
કોરોનાની અસર અંગે કર્યો અભ્યાસ
31 લોકોના મૃતદેહ પર કરાયો અભ્યાસ
બી.જે. મેડિકલ કોલેજના 18 ડોક્ટરોની ટીમે કર્યો અભ્યાસ
કોરોનામાં મૃત્યુ પામેલા 31 લોકોના મૃતદેહ પર કરાયો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં બી.જે. મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગના 18 ડોક્ટરોની ટીમે આ અભ્યાસ કર્યો હતો
કોરોનામાં મૃત્યુ પામેલા 31 લોકોના મૃતદેહ પર કરાયો અભ્યાસ
સિવિલની બી.જે. મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગના 18 ડોક્ટરોની ટીમે ‘ઇફેક્ટ ઓફ કોવિડ ઓન રેસ્પિરેટરી એન્ડ કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ’ પ્રોટોકોલ મુજબ, 31 મૃતકની ઓટોપ્સી કરી હતી. જેમાં આ 31 મૃતકની ઓટોપ્સીમાં 50 ટકાને ગંભીર પ્રકારનું બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન હોવાનું સામે આવ્યું છે તેમજ ફેફસાં પથ્થર જેવા કઠણ થઈ ગયાં હતાં.
18 ડોક્ટર્સની ટીમે કોરોનાની અસર અંગે કર્યો અભ્યાસ
મહત્વનું છે કે 67 ટકા 60 વર્ષથી વધુના અને વિવિધ રોગથી પીડિત અને 33 ટકા 60થી ઓછી વયના લોકોના રિપોર્ટમાં ઓટોપ્સીના ચોંકાવનારા તારણો સામે આવ્યા છે મૃત્યુ પામેલા 31 લોકોમાંથી માત્ર 3 લોકોએ જ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો હોવાનું પણ મનાઈ રહ્યું છે ત્યારે નિષ્ણાત ડોક્ટરોનું માનવું છે કે આ 31 મૃતકમાંથી માત્ર ત્રણે લોકોએ જ કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો જો રસીના બંને ડોઝ લીધા હોત તો 31 લોકો બચી ગયા હોત તેવો પણ ડોક્ટરોએ દાવો કર્યો છે.
ફેફસાં પથ્થર જેવા કઠણ થઈ ગયા હોવાનું પણ આવ્યું સામે
અહીં ઉલ્લેખનિય છે કે ઓટોપ્સીના સ્ટડી પ્રોટોકલ ‘ઇફેક્ટ ઓફ કોવિડ ઓન રેસ્પિરેટરી એન્ડ કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ’ હતી, જેમાં લોહીના ગઠ્ઠા ક્યાં થાય છે એનો સ્ટડી કરવા ફેફસાં, હૃદય તેમજ પગની પિંડીના સ્નાયુના સેમ્પલ લેવાયાં હતાં. કોવિડના ટેસ્ટિંગ માટે આરટી-પીસીઆર અને બેક્ટેરિયલ-ફંગલ ઇન્ફેક્શન માટે સ્વોબ લેવાયા હતા.
31 મૃતકો ફેફસાં પથ્થર જેવા કઠણ થઈ ગયાં હતાં
ઇફેક્ટ ઓફ કોવિડ ઓન રેસ્પિરેટરી એન્ડ કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ પ્રોટોકોલ મુજબ કરવામાં આવેલા અભ્યાસમાં 31 મૃતકની ઓટોપ્સીમાં 50 ટકાને ગંભીર બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન થયું હતું અને મોટા ભાગના દર્દીઓને ઘણા મોડા હોસ્પિટલમાં દાખલ કરાયા કરવામાં આવ્યા હતા તેમજ 67 ટકા દર્દી 60થી વધુ વયના અને કો-મોર્બિડ, 33 ટકા 60થી ઓછી વયના દાખલ કરાયા હતા. આ દર્દીઓના ફેફસાં, હૃદય તેમજ પગની પિંડીના સ્નાયુના સેમ્પલ લેવાયાં હતા, ઓટોપ્સી બાદ ડોક્ટરોએ દાવો કર્યો છે કે આ દર્દીઓએ રસીના બંને ડોઝ લીધા હોત તો જીવ બચી શક્યો હોત.
ઓટોપ્સીનાં તારણોમાં આ આવ્યું બહાર
67 ટકા 60 વર્ષથી વધુના અને કો-મોર્બિડ
87 ટકામાં હાઇપરટેન્શન ડાયાબિટીસ હૃદયરોગ જેવી કો-મોર્બિડિટી
60થી 70 ટકામાં લોહીની નળીમાં લોહીના ગઠ્ઠા
50 ટકાને ફંગલ-બેક્ટેરિયલ ઇન્ફેકશન
76 ટકાનાં ફેફસાં કઠણ અને 70 ટકાનાં ફેફસાંનું વજન બમણું