પૌષ્ટિકતાથી ભરપુર ખસખસનો ઉપયોગ પંજાબી સબ્જીની ગ્રેવી બનાવવામાં અને ઠંડીના દિવસોમાં સ્વાદિષ્ટ હલવો બનાવવા માટે કરવામાં આવે છે. તે સ્વાદ અને આરોગ્યથી ભરપુર છે, તેથી સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉપચાર માટે પણ તેનો ઉપયોગ દવાના રુપમાં કરાય છે. ખસખસના આવા જ કેટલાક ગુણધર્મો જાણવા જેવા છે.
- ખસખસનો દર્દ નિવારકના રુપમાં ઉપયોગ કરવામાં આવે છે. તેમાં મળી આવતા ઓપિયમ એલ્કલોઇડ્સ તમામ પ્રકારના દુખાવાને દુર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને તેનો પ્રયોગ માંસપેશીઓના દુખાવામાં કરવામાં આવે છે. ખસખસનું તેલ પણ બજારમાં ઉપલબ્ધ છે. તેનો પ્રયોગ દુખાવા વાળી જગ્યાએ કરવામાં આવે છે
- શ્વાસ સંબંધિત તકલીફ હોય ત્યારે પણ ખસખસ ખુબ ફાયદાકારક છે. તે ખાંસની ઘટાડીને શ્વાસ સંબંધિત સમસ્યાઓમાં લાંબા સમય સુધી આરામ આપવામાં પણ મદદ કરે છે
- ખસખસ ફાઇબરનો સારો સ્ત્રોત છે, તેનો પ્રયોગ કરવાથી કબજિયાતની સમસ્યા દુર થાય છે. આ ઉપરાંત તે બહેતર પાચનમાં પણ મદદ કરે છે. શરીરને ઉર્જા આપવા માટે પણ તે લાભદાયક છે.
- જો તમને ઉંઘ ન આવવાની સમસ્યા હોય તો સુતા પહેલા ખસખસનું ગરમ દુધ પીવું તમારા માટે ફાયદાકારક બની શકે છે. તે અનિંદ્રાની સમસ્યાને દુર કરે છે અને તમને ઉંઘ આવવા લાગે છે.
- પથરીના ઇલાજમાં પણ ખસખસનું સેવન લાભકારક રહે છે. તેમાં મળી આવતા ઓક્સલેટ્સ, શરીરમાં રહેલા વધારાના કેલ્શિયમને અવશોષિત કરીને પથરી બનતા રોકે છે.
- ખસખસ માનસિક તણાવથી પણ મુક્તિ અપાવે છે અને ત્વચા પર પડતી કરચલીઓને પણ રોકે છે. તેમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે તે તમારી યુવાની ટકાવી રાખે છે.
- ખસખસ ત્વચાને ભેજ પુરો પાડવામાં પણ સહાયક હોય છે. તે ત્વચાની ખંજવાળ કે બળતરાની સમસ્યા દુર કરવામાં મદદ કરે છે.
- ઓમેગા-6 ફેટી એસિડ, પ્રોટીન, ફાઇબરથી ભરપુર હોવાની સાથે ખસખસમાં ફાઇટોકેમિકલ્સ, વિટામીન બી, થાયમિન કેલ્શિયમ અને મેંગેનીઝ મળી આવે છે, જે પોષણ માટે ફાયદાકારક છે.
- ત્વચાને સુંદર બનાવવા માટે ખસખસનો ઉપયોગ દુધમાં પીસીને ફેસપેકના રુપમાં કરવામાં આવે છે. તે ત્વચાને ભેજ પુરો પાડવાની સાથે પ્રાકૃતિક ચમક પણ લાવે છે. અને ચહેરો ચમકી ઉઠે છે.
- આ ઉપરાંત ઘણા પ્રકારની નાની નાની સમસ્યાઓ જેમકે વધુ તરસ લાગવી, તાવ આવવો, સોજો કે પેટમાં થતી બળતરામાં રાહત મેળવવા માટે ખસખસનો પ્રયોગ કરવામાં આવે છે. તે પેટમાં વધતી ગરમીને શાંત કરવામાં પણ સહાયક છે.