જેવી રીતે ભોજન ચાવી ચાવીને કરવું જોઇએ તેવી જ રીતે ભોજન કર્યા પછીની કેટલીક વાતનું ધ્યાન રાખવુ જરુરી છે નહી તો થઇ શકે છે સમસ્યા
કાળઝાળ ગરમીને લીધે લોકો ત્રાહિમામ
ભોજન કર્યા બાદ ન્હાવાની ટેવ છે ?
જમ્યા પછી ન્હાવુ યોગ્ય નથી
ગરમી કાળો કહેર વર્તાવી રહી છે. ઠેર ઠેર ઠંડાપીણા અને બરફગોળાની લાઇનો જોવા મળી રહી છે. સ્થિતિ એવી છે કે ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ બન્યુ છે. આવી સ્થિતિમાં ખોરાકમાં ખાસ ધ્યાન આપવાની જરુર છે. કારણ કે ગરમીને કારણે આપણે વધારે જમી શકતા નથી પરંતુ ભોજન પણ એટલુ લેવુ જોઇએ કે શરીરમાં પાણીની માત્રા જળવાઇ રહે. કાળઝાળ ગરમીને કારણે ઘણી વખત તો એમ થાય કે પાણીમાં જ પડ્યા રહીએ તો. ગરમીને કારણે દિવસમાં બેથી 3વાર તો ન્હાવાનું થઇ જ જતુ હોય છે.આવી સ્થિતિમાં કેટલાક લોકો એવી ભૂલો કરે છે જે ન કરવી જોઈએ. ઘણા લોકો રાત્રે ભોજન કર્યા પછી ન્હાય છે. તમને જણાવી દઈએ કે તમે આ રીતે ઘણી બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છો. કારણ કે ખોરાક લીધા પછી નહાવાની આદત તમારા માટે ખતરો ઉભો કરી શકે છે. આમ કરવાથી તમારુ વજન પણ વધી શકે છે. એસિડિટી અને કબજિયાતની પણ સમસ્યા ઉભી થાય છે. ત્યારે ભોજનને લઇને એવી કઇ આદતો છે જેનાથી તમારે સાવચેતી રાખવાની જરુર છે, આવો જાણીએ
જમ્યા પછી સ્નાન ન કરો
સવારનો નાસ્તો હોય કે રાત્રિભોજન, તમારે જમ્યા પછી તરત જ સ્નાન ન કરવું જોઈએ. આમ કરવાથી તમે કબજિયાત થઇ શકે છે. હકીકતમાં સ્નાન કર્યા પછી, શરીરનું તાપમાન વધે છે, જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતું નથી.
જમ્યા પછી ધૂમ્રપાન ન કરો
ધૂમ્રપાન કરવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.તેમાં પણ જો જમ્યા પછી તમને સ્મોકિંગ કરવાની ટેવ હોય તો આજેજ છોડી દેજો. કારણ કે આમ કરવાથી વજનમાં વધારો થાય છે.
જમ્યા પછી તરત જ સૂવું
મોટાભાગના લોકોને જમ્યા પછી સૂઇ જવાની ટેવ હોય છે. ખાધુ હોય એટલે ઉંઘ આવે તે વાત સાચી પરંતુ જમ્યા બાદ જો તમે સૂઇ જાઓ તો પાચન થતુ નથી. પાચનતંત્ર પર તેની ખાસ અસર જોવા મળે છે. જમ્યા પછી તરત જ તમારે 10-15 મિનિટ ચાલવું જોઈએ.