કેટલાક લોકો ખૂબ જ ઓછા પ્રમાણમાં મીઠાનું સેવન કરતા હોય છે તો કેટલાકને વધારે મીઠું નાંખવાની આદત હોય છે. પરંતુ ભોજનમાં વધુ પડતું મીઠું એટલે કે વધારે પ્રમાણમાં સોડિયમના સેવનથી હૃદય સંબંધિત બિમારી થઇ શકે છે અને આ સાથે જ અકાળે મૃત્યુ થવાનું જોખમ પણ વધી શકે છે.
ઇન્ટરનેશનલ જર્નલ ઑફ એપિડેમાયલૉજીમાં પ્રકાશિત આ અભ્યાસ લગભગ 3 000 લોકો પર કરવામાં આવ્યો હતો જેમને હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા હતી. આ અભ્યાસ દ્વારા ભોજનમાં વધારે પ્રમાણમાં મીઠું અને મૃત્યુના જોખમ વચ્ચે ડાયરેક્ટ કનેક્શન હોવાની ખાતરી કરવામાં આવી છે.
અમેરિકામાં બ્યમઘમ અને વુમેન્સ હૉસ્પિટલની નેન્સી કુકે કહ્યુ કે સોડિયમનું પ્રમાણ માપવું અઘરું છે. સોડિયમ છુપાયેલું હોય છે. મોટાભાગે તમે જાણી શકતાં નથી કે તમે કેટલા પ્રમાણમાં સોડિયમનું સેવન કરી રહ્યા છો.
એક રિસર્ચ મુજબ સોડિયમનું પ્રમાણ દરરોજ બદલાતું રહે છે જેનો અર્થ છે કે તમે કેટલી માત્રામાં સોડિયમનું સેવન કર્યુ તે જાણવા માટે કેટલાય દિવસ સુધી યૂરીનના નમૂના લેવા પડે છે.
વધારે પ્રમાણમાં સોડિયમનું સેવન કરવાથી મૃત્યુનું જોખમ વધી શકે છે. જે લોકો ભોજનમાં ઓછા નમકનું સેવન કરે છે તેઓ સ્વસ્થ પણ રહે છે. જો તમે પણ ભોજનમાં વધારે મીઠું ખાઓ છો તો તમે તમારી આદત બદલી દો. જેથી તમે અનેક બિમારીઓથી બચી શકો છો.