દિયોદરના રાજવી ગિરિરાજસિંહ માનસિંહજી વાઘેલાનો ભાજપમાં પુન: પ્રવેશ થયો છે. ભાજપ પાર્ટીએ ગિરિરાજસિંહ વાઘેલાનું સ્વાગત કર્યું છે. ગિરિરાજસિંહ વાઘેલાએ બનાસકાંઠા જિલ્લાના સરપંચ અને સંગઠનના પ્રમુખ છે. ગિરિરાજસિંહ વાઘેલાનું નિવેદન કર્યુ છે.
તેમણે જણાવ્યુ છે કે, ભાજપ પાર્ટીએ મારી વિવિધ માંગણીને સ્વીકારી છે. ભાજપે મારું અગાઉનું રાજીનામુ સ્વીકાર્યું ન હતું. દિયોદર વિકાસની હારમાળા તરફ આગળ વધી રહ્યું છે. તેમજ ભાજપમાં જોડાઇ જિલ્લાની સીટને બહુમતીથી જીતાડવા સક્રિય ભૂમિકા નિભાવીશ.
અગાઉ રાજવી ગિરિરાજસિંહ વાઘેલાએ BJPમાંથી રાજીનામું આપ્યું હતું
ગત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતાં. દિયોદરના રાજવી અને દિયોદર ગ્રામ પંચાયતના સરપંચ ગિરિરાજ સિંહે બાદમાં ભાજપમાંથી પણ રાજીનામું આપી દીધું હતું. મહત્વનું છે કે, બનાસકાંઠા જીલ્લા સરપંચ સમિતિના પ્રમુખ પણ બની ચૂક્યા છે.