દિવાળીના તહેવાર પર રંગોળીની સાથે સાથે ઘરના દરવાજાઓ પર આ ત્રણ વસ્તુઓ જરૂરથી લગાવો.
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા જરૂર કરો આ ઉપાય
ઘરના દરવાજે લગાવો આ ત્રણ વસ્તુઓ
ઘરમાં થશે પૈસાનો વરસાદ
લક્ષ્મીજીના સ્વાગત માટે લોકો ઘરોના આંગણામાં રંગ-બેરંગી રંગોળી બનાવે છે સાથે જ માતા લક્ષ્મીને પ્રસનન કરવા માટે તમે પોતાના મુખ્ય દ્વાર પર 3 વસ્તુઓ લગાવી શકો છો. તેનાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહેશે.
માતા લક્ષ્મીના ચરણ ચિન્હ
ઘરની બહાર માતા લક્ષ્મીના ચરણ ચિન્હ લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચરણ ચિન્હ લગાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તે અંદરની તરફ આવતા હોય. આજકાલ સરળતાથી બજારોમાં માતા લક્ષ્મીના ચરણ ચિન્હ મળી રહી છે. તેને તમે ઘરની અંદર આવતા હોય તે રીતે લગાવી શકો છો.
સ્વસ્તિક
ઘરના મુખ્ય દ્વાર પર ચાંદીના સ્વસ્તિક લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે ચાંદીની જગ્યા પર કંકુથી પણ સ્વસ્તિક બનાવી શકો છો. આ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
તોરણ
એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે માતા પૃથ્વી પર ભ્રમણ કરવા આવે છે અને ભક્તોના ઘરોમાં વાસ કરે છે. માટે માતાના સ્વાગત માટે તમે મુખ્ય દ્વાર પર તોરણ જરૂર લગાવો. આ દિવસે તમે ફળ, ફૂલ અને કેળાના પત્તાનું તોરણ બનાવીને લગાવી શકો છો.