ગુજરાતમાં અને એમાંય અમદાવાદમાં દિવાળીમાં જ કોરોના ફરીથી વકરતા તાબડતોડ DYCM નીતિન પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મુદ્દે સમીક્ષા બેઠક યોજી હતી.
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો
સ્વાસ્થ્ય મંત્રી નીતિન પટેલની સમીક્ષા બેઠક
હોસ્પિટલમાં સારવાર વ્યવસ્થાની સમીક્ષા
રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાતા સીએમ રૂપાણી સહિતના આગેવાનો દોડતા થઈ ગયા છે એવામાં સ્વાસ્થ્ય મંત્રી નીતિન પટેલની સમીક્ષા બેઠક યોજાઈ હતી. સિવિલ હોસ્પિટલમાં સારવાર વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આ અંગે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતુ કે, કોરોનાના કેસ વધતા રિવ્યુ બેઠક યોજી છે. અમદાવાદમાં ફરીથી કોરોનાના કેસની સંખ્યા 1000-1200 આસપાસ પહોંચી પહોંચી છે.
લોકડાઉન અંગે શું કહ્યું નીતિન પટેલે?
ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને પગલે લોકડાઉન અંગે જણાવ્યું હતુ કે, લોકડાઉન નહીં થાય પણ જરૂર પડ્યે વ્યવસ્થા વધારીશું. એટલું જ નહીં પરંતુ તેમણે એ વાત પણ સ્વીકારી હતી કે, દિવાળીમાં બજારમાં લોકો બહાર નીકળતા સંક્રમણ વધ્યું છે. તહેવાર સમયે જરૂરી પગલાં લેવામાં આવે તે જરૂરી છે.
શાળા કોલેજો અંગે પણ કહી મહત્વની વાત
કોરોના મહામારી વચ્ચે શાળાઓ અનલોક કરવા અંગે નીતિન પટેલે જણાવ્યું હતુ કે, શાળાઓ શરૂ થશે પરંતુ પહેલા 9થી 12 સુધી જ ક્લાસ ચાલુ કરવામામાં આવશે. અને સ્કૂલો ચાલુ થશે તો પણ તે ઓડ ઈવન સિસ્ટમ અનુસાર શાળામાં ભીડ ન થાય તેની તકેદારી રાખીને શરૂ કરવામાં આવશે.