દિવાળી એટલે સુખ સમૃદ્ધિનો તહેવાર, હર્ષોલ્લાસ અને આનંદનો તહેવાર. દિવાળીમાં કઈ રીતે કરશો સુખની પ્રાપ્તિ ? કઈ રીતે મેળવશો લક્ષ્મીની અનુકંપા ? કયા મૂહુર્તમાં કરશો ચોપડા પૂજન ? આ રહ્યા તમારા દિવાળીના મૂહુર્ત
દિવાળીના હર્ષોઉલ્લાસમાં વેપારીઓ અને ધંધાદારીઓ દ્વારા પરંપરાગત રીતે ચોપડા પૂજન કરવામાં આવે છે. મા લક્ષ્મીની કૃપા માટે આજે તેમની પૂજા કરવામાં આવે છે ત્યારે તે માટેના વિશેષ મૂહુર્ત પણ જાણવા જરૂ રી છે.
સવારના શુભ મૂહુર્ત
સવારે 8.00 વાગ્યાથી બપોરે 12.23 સુધી ચલ, લાભ અને અમૃત ચોઘડિયા
સાંજના શુભ મૂહુર્ત
સાંજે 6.04 થી રાત્રે 10.49 સુધી શુભ, અમૃત અને ચલ ચોઘડિયા