ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળમાં અનેક મહત્વના મુદ્દાઓ ચર્ચાઈ શકે છે. જેમાં નાણાં અને માર્ગ મકાન આરોગ્ય અને તબબી શિક્ષણ અંગે સવાલો પૂછાઈ શકે છે. તો નર્મદા કલ્પસર પાટણ યોજના અને ઉર્જાનો મુદ્દો પણ ઉઠી શકે છે.
આ ઉપરાંત જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના પ્રશ્ન અંગે ચર્ચા થઈ શકે છે. ઉર્જા પેટ્રોકેમિકલ્સ પુરવઠા વિભાગની માગણીઓ પર ચર્ચા થઈ શકે છે. જ્યારે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગની માગણી પર ચર્ચા થાય તેવી શક્યતા છે.
ધારાસભ્યોએ રજુ કરેલા બિન સરકારી સંકલ્પ પર પણ ચર્ચા થશે. હિતુ કનોડિયા શિવભાઈ ભુરિયાના બિન સરકારી સંકલ્પ પર ચર્ચા થશે. હિતુ કનોડિયા રાજ્ય-કેન્દ્ર સરકારની સિદ્ધિઓ અંગે ચર્ચા કરશે. શિવભાઈ ભુરિયા રાજ્યના ખેડુતોના પ્રશ્નો અંગે ચર્ચા કરશે.