ઓકટ્રોય નાબૂદી બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનું એકમાત્ર સાધન પ્રોપર્ટી ટેક્સ છે. ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦માં તંત્ર દ્વારા પ્રોપર્ટી ટેક્સની આવકમાં રૂ.૧૦પ૦ કરોડનો લક્ષ્યાંક રખાયો છે. જોકે ચાલુ વર્ષે પ્રોપર્ટી ટેક્સની આવકમાં ગત નાણાકીય વર્ષની તુલનામાં ર૧ ટકા જેટલો ઉલ્લેખનીય વધારો નોંધાયો છે. ગત નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯માં તા.૧ એપ્રિલ ર૦૧૮થી તા.૩૦ ડિસેમ્બર ર૦૧૯ સુધી સમયગવાળામાં મ્યુનિસિપલ તિજોરીમાં રૂ.૬પ૯.૭૩ કરોડ ઠલવાયા હતા.
બંધ મિલકતમાં પણ અગાઉ અપાતા લાભને બંધ કરી દેવાયા છે
નાણાકીય વર્ષની તુલનામાં ર૧ ટકા જેટલો વધારો નોંધાયો છે
પરંતુ ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦માં આટલા જ સમયગાળામાં તંત્રને રૂ.૭૯ર.૭૦ કરોડની આવક થઇ છે. એટલે કે ટેકસ આવકમાં રૂ.૧૩૪.૧૦ કરોડની વૃદ્ધિ નોંધાઇ છે. જે ર૧ ટકા જેટલી તંત્ર માટે પ્રોત્સાહનજનક છે. પ્રોપર્ટી ટેક્સની આવકની ઝોન દીઠ વિગત તપાસતાં મધ્યમાં રૂ.૧૧૮.૬૮ કરોડ, ઉત્તરમાં રૂ.પ૭.પ૪ કરોડ, દિક્ષણમાં રૂ.૪૪.પ૩ કરોડ, પૂર્વમાં રૂ.૯૩.૭૭ કરોડ, પશ્ચિમમાં સૌથી વધુ રૂ.ર૦ર.૧પ કરોડ, ઉત્તર-પશ્ચિમમાં રૂ.૧રર.૦૯ કરોડ અને દિક્ષણ-પશ્ચિમમાં રૂ.૯૧.૦૮ કરોડની આવક થઇ છે.
બંધ મિલકતમાં પણ અગાઉ અપાતા લાભને બંધ કરી દેવાયા છે
તંત્ર દ્વારા ગત વર્ષે પ્રોપર્ટી ટેક્સ વ્યાજમાં સો ટકા સુધીની રિબેટ યોજનાને અમલમાં મુકાઇ ન હતી. તેમજ બંધ મિલકતમાં પણ અગાઉ અપાતા લાભને બંધ કરી દેવાયા છે. તંત્ર સમક્ષ બંધ મિલકતને લગતા વાંધાનું પ્રમાણ સવિશેષ આવતું હોઇ આ વર્ષે શાસક પક્ષ એક પણ લોક દરબારનું આયોજન કરી શકયો નથી. બીજી તરફ આગામી ઓકટોબર-નવેમ્બર ર૦ર૦માં ચૂંટણી હોઇ શાસકો હવે છેલ્લા ત્રણ મહિના બાકી રહેતા હોઇ ટેકસ ડિફોલ્ટર્સને ટેકસ માફી યોજના તેમજ બંધ મિલકતનો પૂરો લાભ અપાવવા ઉતાવળા બન્યા છે, પરંતુ આ વર્ષે પણ કરદાતાઓને આ યોજનાનો લાભ નહીં આપવા વહીવટી તંત્રના ઉચ્ચ સ્તરેથી નિર્ણય લેવાયો છે. પરિણામે તંત્ર અને શાસકો વચ્ચે ટેકસ રિબેટ યોજના વધુ એક વિવાદનો મુદ્દો બની છે.