શિક્ષણના ખાનગીકરણમાં સરકારી શાળાનું મહત્વ ઘટ્યું!, 100 વર્ષ પહેલઆ ગોંડલના રાજવી સર ભગવંતસિંહજીએ બંધાવી હતી શાળા
ઐતિહાસિક શાળા બની ગઈ ખંડેર
શાળામાં ભણે છે માત્ર 5 વિદ્યાર્થી
એક સમયે 700 વિદ્યાર્થી ભણતા
શિક્ષણ ક્ષેત્રે ખાનગી શાળાઓનું પ્રમાણ વધતા. હવે નામચીન સરકારી શાળાઓ પણ ખંડેર હાલતમાં અને બંધ થવાની હાલતમાં પહોંચી ગઈ છે. ભણશે ગુજરાતની વાતો તો આપણી સરકાર ખુબ કરે છે. અને સરકારી શાળાઓ પાછળ કરોડોનો ખર્ચ પણ કરે છે. પરંતુ હવે સરકારી શાળાઓની જગ્યાએ ખાનગી શાળાઓનો ક્રેઝ વધી રહ્યો છે. આવું જ કાંઈક રાજકોટ જિલ્લાની એક શાળામાં જોવા મળ્યું છે. જે શાળામાં 700 વિદ્યાર્થીઓ ભણતા હતા. ત્યાં આજે 5 વિદ્યાર્થીઓ ભણે છે.
આજે 5 વિદ્યાર્થીઓ જ ભણે છે
જે શાળાની વાત કરીએ છીએ તે ગોંડલના જેતલસર જંક્સન ગામની કુમાર પ્રાથમિક શાળા છે. જેને 100 વર્ષ પહેલા ગોંડલના રાજવી સર ભગવંતસિંહજીએ બનાવી હતી. શાળામાં તમામ સુવિધાઓ સાથેના 7 ક્લાસરૂમ, રમત-ગમત માટે મેદાન, સહિતની તમામ સુવિધાઓ 1990માં પણ ઉપલબ્ધ હતી. અને આજે પણ છે. પરંતુ સમય સાથે શિક્ષણમાં ખાનગીકરણનું પ્રમાણ વધ્યું. અને ખાનગી શાળાઓનો ક્રેઝ વધતા 700 વિદ્યાર્થીઓના કલરવ વાળી શાળામાં આજે 5 વિદ્યાર્થીઓ જ રહી ગયા છે.
શિક્ષણનું ખાનગીકરણ જવાબદાર
મહત્વનું છે કે, જેતલસર જંક્સનમાં 5 થી 6 હજાર લોકોની વસ્તી વસવાટ કરે છે. પરંતુ આટલી વસ્તી સામે માત્ર 5 વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરે છે. અને તેમને 2 શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. એક સમયે આ શાળામાં 16 થી 17 શિક્ષકોનો સ્ટાફ હતો. પરંતુ જેમ-જેમ સમય બદલાતો ગયો. અને શિક્ષણનું ખાનગીકરણ વધ્યું. તેમ-તેમ આશામાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટતી ગઈ. સૌથી મહત્વની વાત તોએ છે કે, આપણી સરકાર દર વર્ષે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે તે માટે પ્રવેત્સોવની ઉજવણી કરે છે. પરંતુ એવું લાગે છે કે, સરકારનું આ શાળા તરફ કોઈ ધ્યાન જ કેન્દ્રીત નથી થયું. અને આજ સુધી આ શાળામાં આધુનિક સાધનો પણ નથી આવ્યા. આ બધા કારણે અહીં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જઈ રહી છે. તેવું શિક્ષકોનું માનવું છે.
કેમ શિક્ષણ વિભાગ જાગતું નથી?
અહીં સવાલ એ થાય છે કે, વિદ્યાર્થીઓની સંખ્યા 5 સુધી આવી ગઈ ત્યાં સુધી કેમ શિક્ષણ વિભાગ ન જાગ્યું? જે શાળાની જિલ્લામાં નોંધ લેવાતી હતી તે કેમ ખંડેર બની ગઈ? ક્યાં ગયો સરકારનો પ્રવેત્સોવ. ? કેમ આ શાળામાં આજ સુધી આધુનિક સુવિધાઓ ન પહોંચી? સવાલો અનેક છે. ત્યારે આશા રાખીએ કે, રાજ્યની વિકાસને વરેલી સરકાર જરા આ શાળાને ફરી જીવંત કરવા માટે પણ આગળ આવે.