ભારતમાં 2-3 મહિનામાં વેક્સિનેશનનું કામ પુરુ ન થઈ શકે તેવું કહ્યાં બાદ સીરમ ઈન્સ્ટીટ્યુટના ચીફ અદાર પુનાવાલાએ ટ્વિટ ડિલિટ કરી નાખ્યું છે.
દેશમાં કોરોના વેક્સિનની અછત
સીરમના ચીફ અદાર પુનાવાલાનું નિવેદ
ભારત ગીચ વસતી ધરાવતો દેશ
2-3 મહિનામાં વેક્સિનેશનનું કામ પુરુ ન થઈ શકે
દેશમાં કોરોના વેક્સિનની અછત પર સીરમ ઈન્સ્ટીટ્યુટના ચીફ અદાર પુનાવાલાએ જણાવ્યું કે અમે દેશના લોકોના ભોગે વેક્સિન વિદેશ મોકલી નથી.હાલમાં લંડનમાં રહેલા પુનાવાલાએ જણાવ્યું કે ભારત ગીચ વસતી ધરાવતો વિશ્વનો બીજો મોટો દેશ છે. આટલી મોટી સંખ્યાની વસતીને 2-3 મહિનામાં વેક્સિન આપવી શક્ય નથી.
અમે ભારતના લોકોની ઉપેક્ષા કરીને વિદેશમાં વેક્સિન મોકલી નથી
સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયાએ પણ જણાવ્યું કે અમે ભારતના લોકોની ઉપેક્ષા કરીને વિદેશમાં વેક્સિન મોકલી નથી અને દેશના વેક્સિનેશન અભિયાનના સમર્થનમાં અમારાથી જે થાય તે કરવા કટિબદ્ધ છીએ.
We're amongst 2 most populous countries in the world, a vaccination drive for such large population can't be completed within 2-3 months, as several factors & challenges are involved. It'd take 2-3 yrs for entire world population to get fully vaccinated: Serum Institute of India pic.twitter.com/Hg9AM6SYPn
સિરમ ઈન્સ્ટીટ્યુટે જણાવ્યું કે જાન્યુઆરી 2021 માં કંપનીની પાસે વેક્સિનનો એક મોટો ભંડાર હતો. વેશ્વિક ગઠબંધન COVAX પ્રત્યે અમારી જવાબદારી હતી જેથી કરીને તેઓ મહામારીના ખાતમા માટે વૈશ્વિક સ્તરે વેક્સિન વિતરણ કરી શકે. તેમણે કહ્યું કે બીજી એક ખાસ વાત કે જે લોકોના ધ્યાનમાં આવતી નથી તે એ છે કે આપણે દુનિયાના સૌથી વધારે વસતી ધરાવતા દેશમાંના એક છીએ. આટલી મોટી વસતીનું વેક્સિનેશન 2-3 મહિનામાં પૂરુ ન થઈ શકે. કારણ કે તેમાં ઘણા પડકારો રહેલા છે. આખી દુનિયાની વસતીના વેક્સિનેશન માટે તો 2-3 વર્ષ લાગી શકે.
સિરમે કહ્યું કે અમે 200 મિલિયન કરતા પણ વધારે ડોઝ વિતરીત કર્યાં છે. જો આપણે ઉત્પાદિત અને વિતરીત કુલ ડોઝની દ્રષ્ટિએ જોઈએ તો આપણે દુનિયાના ટોચના 3 દેશોમાં સામેલ છીએ.