ડાયાબિટીસના દર્દીઓમાં હંમેશા ખાણીપીણી સાથે જોડાયેલી ઘણી વાતોને લઇને ભ્રમમાં રહેતા હોય છે. ખાસ કરીને સવારના નાસ્તા અંગે લોકો અલગ-અલગ લોકોની સલાહ લઇને ફૉલો કરતા હોય છે.
કહેવાય છે કે, બ્રેકફાસ્ટ રાજા જેવો હોવો જોઇએ, કેમકે લાંબાગાળાના સમય પછી તમે કંઇક આરોગો છે. બ્રેકફાસ્ટ આમ તો દરેક વ્યક્તિ માટે જરૂરી છે, કેમકે તેનાથી દિવસભર એનર્જી રહે છે. વ્યક્તિ શારિરીક અને માનસિક રીતે સક્રિય રહે છે. આ ઉપરાંત શરીરનો અનેક રોગોથી બચાવ પણ કરે છે. તો આવો જાણીએ ડાયાબિટીસના દર્દીઓનો બ્રેકફાસ્ટ કેવો હોવો જોઇએ જેનાથી તેમની હેલ્થને પણ વાંધો ન આવે અને તેઓ આખો દિવસ એનર્જેટિક રહી શકે.
આવી હોવી જોઇએ ખાણીપીણી
બ્રેકફાસ્ટમાં તાજા ફળ અને શાકભાજીના સલાડને જરૂરથી સામેલ કરો. તેનાથી શરીરમાં કેટલાય મિનરલ્સ અને એન્ટીઓક્સીડન્ટની પુર્તિ થતી રહેતી હોય છે. ભોજનમાં અળસીના બી કે તેલનો ઉપયોગ જરૂરથી કરો કેમકે તે ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઇબરથી ભરપુર હોય છે તેથી આરોગ્યપ્રદ પણ છે. ઉકાળેલા ઇંડા સવારના નાસ્તા માટે સારા છે. નાસ્તામાં આખા અનાજ કે આખા અનાજની બ્રેડ લઇ શકાય છે. તે ફાઇબરથી ભરપુર હોય છે તેથી ડાયાબિટીસને નિયંત્રિત કરે છે. ઓટમીલમાં પણ ઘણા પ્રકારના પોષકતત્વો હોય છે, તેથી સવારના નાસ્તામાં તે જરુર લો. ફેટ વગરનું દુધ અને દહીંનુ સેવન કરો. ચા કે કોફીમાં તજનો પાવડર નાંખીને ખાઇ શકો છો. તે ડાયાબિટીસને નિયંત્રિત કરવાની સાથે સાથે ઇમ્યુનિટી પણ વધારે છે. શાકભાજીના સુપ પણ પીવો. તે મેદસ્વીતાને નિયંત્રિત કરે છે.
આટલી વસ્તુઓથી દુર રહો.
ડાયાબિટીસના રોગીઓએ કેટલીક વસ્તુઓથી દુર રહેવુ જોઇએ. ખાસ કરીને જમીનમાં ઉગતા કંદમુળ જેમકે બટાકા, સુરણ, શક્કરિયા અને એવી ઘણી વસ્તુઓ જે જમીનની અંદર ઉગતી હોય. તેવી વસ્તુ ન ખાવી અથવા કોશિશ કરવી કે ઓછામા ઓછી માત્રામાં તેનું સેવન થાય. જંકફુડ તો બિલકુલ ન ખાવુ. તેનાથી ડાયાબિટીસની આશંકા વધે છે. ડાયાબિટીસ ન હોય તો પણ જંકફુડ ખાવાથી બચવું.અંકુરિત અનાજને ઉકાળીને, બાફીને કે શેકીને ખાવુ, પરંતુ તળીને બિલકુલ નહીં. સુકો મેવો ખાવાથી બચો અને જો ખાવો હોય તો પાણીમાં પલાળીને ખાવ. ચરબીવાળુ કે કાર્બોહાઇડ્રેટયુક્ત ભોજન ન કરો.તેનાથી ડાયાબિટીસ વધવાની શક્યતાઓ રહે છે.