IPLની 16મી સિઝન ધોની ઘૂંટણના દુખાવા સાથે રમ્યો હતો એવામાં ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ માહીને સૌથી મોટો ચેમ્પિયન ગણાવ્યો છે
એમએસ ધોનીની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે
IPLની 16મી સિઝન ધોની ઘૂંટણના દુખાવા સાથે રમ્યો હતો
પૂર્વ દિગ્ગજ ખેલાડીએ માહીને સૌથી મોટો ચેમ્પિયન ગણાવ્યો
IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમી વખત ચેમ્પિયન બનાવનાર એમએસ ધોનીની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. આપણે બધા જાણીએ છીએ કે ધોનીએ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું જે બાદ તેઓ આઈપીએલમાં રમત જોવા મળે છે. એવામાં આજે પણ તે ઘણીવાર હેડલાઈન્સમાં રહે છે. નોંધનીય છે કે આઈપીએલની 16મી સિઝનના પ્રારંભિક તબક્કામાં ધોની ઘૂંટણની સમસ્યાથી પરેશાન જોવા મળ્યો હતો. આના કારણે ઘણી અટકળો થઈ હતી કે ધોની બહાર થઈ જશે અને આ તેની છેલ્લી સિઝન હશે પણ એવું થયું નહીં.
IPLની 16મી સિઝન ધોની ઘૂંટણના દુખાવા સાથે રમ્યો હતો અને આખી સિઝનમાં એક પણ મેચ ચૂક્યો નહોતો. આટલું જ નહીં દરેક મેચમાં એમએસ ધોનીએ 20 ઓવર માટે વિકેટકીપિંગ પણ કર્યું હતું. જણાવી દઈએ કે એક સમાચાર સામે આવ્યા હતા કે ધોનીના ઘૂંટણની સર્જરી થઈ છે. આ અંગે ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ માહીને સૌથી મોટો ચેમ્પિયન ગણાવ્યો છે. લક્ષ્મણ શિવરામક્રિષ્નને પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યું કે ધોની આખી સિઝન એક પગથી રમ્યો, દર્દમાં રમ્યો અને સાથે જ ટીમનું નેતૃત્વ કર્યું. તેની પાસે યોદ્ધાની માનસિકતા છે અને તે ચેમ્પિયન છે.
ધોનીની મુંબઈમાં સર્જરી
એમએસ ધોની આઈપીએલ ફાઈનલ બાદ અમદાવાદથી સીધા મુંબઈની કોકિલાબેન હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેમના ઘૂંટણની સફળ સર્જરી કરવામાં આવી હતી. આ પછી તે પોતાના ઘર રાંચી માટે પણ રવાના થયો હતો. હાલ તે આરામ પર રહેશે. ધોની આખી સિઝન દરમિયાન ઘૂંટણની સમસ્યાથી સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. ચેપોક ખાતેની છેલ્લી લીગ મેચ પછી તે તેના ઘૂંટણ પર આઈસપેક પહેરીને ભીડને આવકારવા અને મેદાનની આસપાસ ફરતો જોવા મળ્યો હતો. હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે સફળ સર્જરી બાદ માહી સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે.
MS Dhoni went through a knee surgery today,it was successful.True Leader, playing with one leg. No pain no gain.The agonising pain did not affect his clarity of thoughts. Amazing how he was able to lead a side with so much pain. His mindset is of a warrior. Champion for life ❤️❤️
— Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) June 1, 2023
શું ધોની રમશે આગામી IPL?
IPL 2023ની શરૂઆતથી જ એવી અટકળો ચાલી રહી હતી કે આ એમએસ ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે. તેણે અગાઉની સીઝનમાં કહ્યું હતું કે તે ચેપોકના લોકોની સામે તેની વિદાય ઇચ્છે છે. પરંતુ સીએસકે જે રીતે આ સિઝનમાં રમ્યું અને ધોનીએ તેની કેપ્ટન્સીમાં પાંચમી વખત ટાઈટલ જીત્યું તે જોઈને કદાચ ખુદ ધોનીએ પણ પોતાનો વિચાર બદલી નાખ્યો છે. જ્યારે આ વિશે ઘણી વખત પૂછવામાં આવ્યું ત્યારે ધોનીએ કહ્યું કે તે 7-8 મહિના સુધી આ વિશે વિચારશે. આગામી સિઝન માટે હજુ સમય છે. આટલું જ નહીં, તેણે ફાઈનલ પછી કહ્યું હતું કે, દર્શકોએ જે રીતે તેને સમર્થન આપ્યું છે તે જોઈને જો તે આગામી IPL રમશે તો તે દર્શકોને ભેટ હશે. આ સાથે જ CSKના CEO કાશી વિશ્વનાથને પણ કહ્યું છે કે ધોની ક્યાંય નથી જઈ રહ્યો અને આગામી IPL રમશે.