દિવાળીના 2 દિવસ પહેલા ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવાનું વિશેષ મહત્વ છે. વેદ-પુરાણોમાં જણાવવામાં આવ્યુ છે કે ધનતેરસના દિવસે માત્ર ખરીદી જ નહીં પરંતુ દાન કરવાનું પણ વિશેષ મહત્વ રહેલુ છે. ધનતેરસ પર દાન કરવાથી તમારે વર્ષમાં પૈસાની તંગીનો નહીં ભોગવવી પડે. જી હા આજે અમે તમને જણાવીશું કે આ વસ્તુઓનું દાન કરવાનું ધનતેરસ પર શુભ માનવામાં આવ્યુ છે....
- ધનતેરસના દિવસે કોઇ ગરીબ વ્યકિતને પીળા વસ્ત્રનું દાન કરો. ધનતેરસના દિવસે વસ્ત્ર દાનને મહાદાન ગણવામાં આવ્યુ છે આમ કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે.
- ધનતેરસના શુભ અવસર પર ઓછામાં ઓછા એક ગરીબ વ્યકિતને ઘરે બોલાવીને આદર-સમ્માનની સાથે ભોજન કરાવવું જોઇએ. ભોજનમાં ખીર અને પૂરી વિશેષ રીતથી શામેલ કરવી જોઇએ. ભોજન કરાવ્યા પછી દક્ષિણા પણ અવશ્ય આપવી જોઇએ.
- ધનતેરસના દિવસે કોઇ જરૂરિયાતમંદ વ્યકિતને નારિયેળ અને મિઠાઇનું દાન જરૂરથી કરવું જોઇએ. આમ કરવાથી તમારા ઘરમાં લક્ષ્મીજીનો સતત વાસ રહેશે અને આર્થિક તંગીનો સામનો પણ નહી કરવો પડે.
- ધનતેરસના દિવસે સામાન્ય રીતે લોકો સોના-ચાંદીની ખરીદી કરે છે તો બીજી તરફ લોખંડની કોઇ વસ્તુનું દાન અવશ્ય કરવું જોઇએ. લોખંડ દાન કરવાથી તમારું દુર્ભાગ્ય દૂર થઇ જાય છે અને શુભફળની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મી માતા પર હંમેશા પ્રસન્ન થાય છે.
- આ સિવાય ધનતેરસના દિવસે ઘણા લોકોના ઘરમાં નવા ઝાડુંની પૂજા કરવામાં આવે છે. જો તમારી નજીક કોઇ એવું વ્યકિત છે જે સતત પૈસાની તંગીનો સામનો કરી રહ્યુ છે તો તેણે એક ઝાડુ ખરીદી આપો. આમ કરવાથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને સાથે જ તમારા મનની સારી ભાવના જોઇને તમારા નજીકના વ્યકિતને તમામ મુશ્કેલીઓ દૂર કરશે.