યુઝવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તેની પત્ની ધનશ્રી વર્માને પણ સોશિયલ મીડિયા ક્વીન માનવામાં આવે છે. તેમની જોડી સૌથી સુપરહિટ કપલ્સમાંથી એક માનવામાં આવે છે. પરંતુ આજકાલ આ જોડી કંઇક અલગ જ ચર્ચામાં છે.
ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પરથી હટાવી ચહલ સરનેમ
સૌથી સુપરહિટ કપલ્સમાંથી એક
લોકોએ કહ્યું- હવે નવી લાઈફ શરૂ?
ટીમ ઈન્ડિયાનો સ્પિનર યુઝવેન્દ્ર ચહલ તેની શાનદાર બોલિંગ માટે જાણીતો છે. યુઝવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. તેમની પત્ની ધનશ્રી વર્માને પણ સોશિયલ મીડિયા ક્વીન માનવામાં આવે છે. આ બંનેની જોડીને સૌથી સુપરહિટ કપલ્સમાંથી એક માનવામાં આવે છે. પરંતુ આજકાલ આ જોડી કંઇક અલગ જ ચર્ચામાં છે. ચહલ અને ધનશ્રીના ફેન્સને લાગે છે કે હવે કદાચ આ જોડી વચ્ચે બધુ બરાબર નથી.
ધનશ્રીએ હટાવી ચહલ સરનેમ
મોટાભાગે પોતાનો પ્રેમ વ્યક્ત કરતી પોસ્ટના કારણે ચર્ચામાં રહેતા ધનશ્રી અને ચહલની જોડી આજકાલ કોઈ અલગ કારણથી ચર્ચામાં છે. હકીકતે થોડા સમય પહેલા ધનશ્રી વર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ યુઝરનેમમાંથી ચહલની સરનેમ હટાવી દીધી છે.
આ પહેલા ઈન્સ્ટાગ્રામ પર ધનશ્રીનું યુઝર નેમ ધનશ્રી વર્મા ચહલના નામ પર હતું. પરંતુ અચાનક તેણે પોતાના નામ પાછળની ચહલ હટાવીને બધાને ચોંકાવી દીધા છે. આવું કેમ થયું તેના વિશે હાલ કોઈ અંદાજો નથી. પરંતુ ફેન્સ સતત અનુમાન લગાવી રહ્યા છે કે ધનશ્રી અને ચહલ વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું.
ચહલની પોસ્ટ બાદ ઉભા થયા સવાલ
ધનશ્રી બાદ ચહલની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટે પણ સવાલો ઉભા કર્યા છે. ચહલે વાસ્તવમાં એક સ્ટોરી મૂકી હતી જેમાં લખ્યું હતું કે નવું જીવન શરૂ થઈ રહ્યું છે. આ પોસ્ટથી, આ બંનેના ફેન્સે અનુમાન લગાવી રહ્યા છે કે આ કપલ વચ્ચે કોઈ સમસ્યા હોઈ શકે છે. જો કે, અત્યાર સુધી આ કપલ તરફથી આ અંગે કંઈ સ્પષ્ટ થયું નથી.