રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1604 દર્દીઓ નોંધાયા છે. તેમજ મૃત્યુઆંક 58એ પહોંચ્યો છે. ત્યારે રાજ્યની સ્થિતિ અંગે પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે લોકોને ઘરે રહીને સુરક્ષિત રહો અને જવાબદાર બનો તેવી અપીલ કરી હતી.
ઘરે રહો, સુરક્ષિત રહો, જવાબદાર બનોઃ DGP
કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોમાં શાંતિપૂર્ણ વ્યવસ્થા જળવાઇ રહી છે
કર્ફ્યૂભંગના કિસ્સાઓમાં ગુનાઓ દાખલ કરાયા છે
પોલીસવડાએ વધુમાં જણાવ્યું હતું કે, કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોમાં શાંતિપૂર્ણ વ્યવસ્થા જળવાઇ રહી છે. આ સાથે જ કેટલાક લોકો કર્ફ્યૂભંગ કરી રહ્યા છે,જેના કારણે અમદાવાદમાં 113 ગુના દાખલ થયા, 128 લોકોની ધરપકડ કરાઇ છે. આ સાથે જ સુરતમાં 75 ગુનામાં 82 લોકોની ધરપકડ કરવામાં આવી છે તો રાજકોટમાં 25 ગુનાઓમાં 29 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં 23 પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ
શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 23 પોલીસ કર્મચારીઓને કોરોના થયો છે. તો ક્વોરેન્ટાઇન વાળા વિસ્તારમાં સુરક્ષામાં તૈનાત કર્મચારીનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ સાથે જ પોલીસ હાલ સોસાયટીના સીસીટીવી ચેક કરી રહી છે. CCTVના આધારે અત્યાર સુધીમાં 104 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ કર્મીના પરિવારની લેવાઇ રહી છે કાળજી
રાજ્યમાં પોલીસકર્મીઓને કોરોનાનું સંક્રમણ થવા મુદ્દે DGPએ વાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાગ્રસ્ત પોલીસકર્મી અને તેમના પરિવારની લેવાઈ રહી છે કાળજી. જે પોલીસકર્મીઓ કર્ફ્યુ ધરાવતા વિસ્તારોમાં ફરજ બજાવી રહ્યા છે તેમને PPE શૂટ ટૂંક સમયમાં આપવામાં આવશે