રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાની પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા લોકડાઉનનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. નાગરિકો તરફથી સારો સહકાર મળી રહ્યો છે. નાગરિકો તરફથી સહકાર મળી રહે તેવી અપીલ કરવામાં આવી રહી છે. પોલીસ યોગ્ય રીતે ફરજ બજાવે તેના માટે આદેશ અપાયા છે.
જરૂરિયાતની વસ્તુઓ લેવા આવતા લોકોને ન રોકે તેવા પોલીસઃ DGP
DGPએ લોકોને આપી કેટલીક મહત્વની સલાહ
426 આરોપીઓની જાહેરનામાના ભંગના ગુનાઓ હેઠળ અટકાયત
સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કર્યા બાદ લોકોએ સારો સહકાર આપ્યો છે. રાજ્યના DGP શિવાનંદ ઝાએ કહ્યું, લોકો આગળ પણ આવી જ રીતે સહકાર આપે તેવી આશા છે. સાથે જ તેમણે કહ્યું કે જે લોકોએ જાહેરનામાનો ભંગ કર્યો છે તેમના વિરૂદ્ધ ના છુટકે પગલાં લેવા પડ્યા છે. તેમણે લોકોને અપીલ કરી કે હાલ જરૂરી કામ વિના ઘરની બહાર ન નીકળો. ઘરે રહો સુરક્ષિત રહો.
વધુમાં તેમણે જણાવ્યું કે, પોલીસના વિવિધ વિભાગોના વડાઓ સાથે ચર્ચા કરી છે. રેન્જ આઇજી અને કમિશનરો સાથે ચર્ચા કરવામાં આવી છે. લોકડાઉનનું પાલન ન થાય ત્યાં કડકાઇ કરવામાં આવી રહી છે.
DGPએ લોકોને આપી કેટલીક મહત્વની સલાહ
આવશ્યક સેવાઓ ચાલુ હોય ત્યાં લોકો ભીડ ન કરે.
દુકાનદારો ખાસ કાળજી રાખે કે લોકો એક મીટરનું અંતર રાખે.
ચીજ વસ્તુઓ લેતી વખતે ચોક્કસ અંતર રાખવામાં આવે.
લોકો સ્વંયભૂ પોતાની કાળજી રાખે.
એકસાથે બધા ચીજવસ્તુઓ ન નિકળે તે આવશ્યક છે.
સોસાયટી મેમ્બર્સ એકબીજા સાથે સંકલન કેળવે.
ઘરે રહો સુરક્ષિત રહોના મંત્રનો અમલ થાય.
મીડિયાને સહકાર આપેઃ DGP
DGPએ જણાવ્યું કે, જરૂરિયાતની વસ્તુઓ લેવા આવતા લોકોને ન રોકે તેવા પોલીસને આદેશ અપાયા છે. મીડિયાના મિત્રોને પોલીસ હેરાન-પરેશાન ન કરે. મીડિયા મિત્રો સાથે સહકાર આપવામાં આવે. આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ લોકો-વાહનોને છુટ આપવામાં આવી છે. શહેરોમાં સંકલન માટે અલગથી અધિકારીની નિમણૂંક કરાઇ છે. લોકો 100 અને 112 નંબર પર મુશ્કેલી અંગે જાણ કરી શકે છે. લોકડાઉનમાં કોઇ સમસ્યા હોય તો તાત્કાલિક નિવારણ કરાશે. ADG કક્ષાના અધિકારીની આગેવાની નીચે ટીમોનું ગઠન કરાયું છે.
પોલીસે કરી કાર્યવાહી
વધુમાં તેમણે જણાવ્યું છે કે, જાહેરનામાના ભંગના 238 કેસ નોંધાયા છે. કોરોન્ટાઇનના 127 કેસ નોંધાયા છે. 426 આરોપીઓની આ ગુનાઓ હેઠળ અટકાયત કરાઇ છે.