મુંબઇનું પ્રસિદ્ઘ શ્રી સિદ્ઘિવિનાયક મંદિર દેશભરમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિરમાં ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે સામાન્ય જનતાથી ખાસ સેલિબ્રિટીઝ પણ અચૂકથી આવે છે.
શ્રી સિદ્ઘિવિનાયક મંદિર મુંબઇનું પ્રસિદ્ઘ હિંદૂ મંદિર છે. જે પ્રભાદેવી મુંબઇ મહારાષ્ટ્રમાં આવ્યુ છે. મૂળ રૂપથી 19 નવેમ્બર 1801માં લક્ષ્મણ વિઠૂ અને દેઉબાઉ પાટિલે આ મંદિરનું નિર્માણ કરાવ્યુ હતુ. આ મુંબઇના સૌથી ધનિક મંદિરોમાંથી એક છે.
મંદિરમાં સિદ્ઘિ વિનાયકનો એક નાનો મંડપ છે. આ મંદિરના ગર્ભગૃહમાં લાકડાના દરવાજા પર અષ્ટવિનાયક (મહારાષ્ટ્રમાં ગણેશજીની આઠ અભિવ્યિકતિ)ની છબિ બનાવવામાં આવી છે. ગર્ભગૃહની અંદરની છતને સોનાથી મઢવામાં આવી છે અને કેન્દ્રમાં ગણપતિજીતની પ્રતિમા છે આ ગણપતિને નવસાચા ગણપતિ કહેવામાં આવે છે કેમકે અહીંયા આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ગણપતિજી સિવાય આ મંદિરમાં હનુમાનજીની પણ પ્રતિમા છે.
શરૂઆતના દિવસોમાં શ્રી સિદ્ઘિવિનાયકનું મંદિર ખૂબ જ નાનું હતુ જેમ જેમ સમય જતા દેશ-વિદેશથી ભક્તો ભગવાન ગણપતિજીના દર્શન કરવા આવતા ગયા તેમ તેમ મંદિરમાં દાન આપતા ગયા અને આજે ભારતના સૌથી ધનિક મંદિરોમાં તેનું નામ શામેલ થઇ ગયુ. આ મંદિરમાં શ્રદ્ઘાળુઓ દ્વારા વર્ષે 100-150 મિલિયન સુધીનું દાન કરવામાં આવે છે.
આ સિવાય રાજનીતિક હસ્તીઓ અને બોલિવુડના સેલિબ્રિટીઝ આવતા મંદિરના ગ્લેમરમાં વધારો થઇ ગયો.