સારી નોકરી અને વિદેશ જવા માટે દરેક વ્યક્તિને ઇચ્છા હોય છે. પરંતુ આ ઇચ્છા દરેક માણસની પૂર્ણ થતી નથી. કેટલાક લોકોની અધૂરી રહી જાય છે. પરંતુ કદાચ તમને એ ખબર નથી કે તમારી આ ઇચ્છા એક મંદિરમાં પૂર્ણ થઇ શકે છે.
જી હાં હૈદરાબાદથી આશરે 40 કિમી દૂર એક મંદિર એવું અનોખું છે જ્યાં બેરોજગાર પોતાની નોકરીની ઇચ્છા લઇને આવે છે. આ ઉપરાંત લોકો વીઝા અપાવવાની પ્રાર્થના માટે પણ આવે છે. માન્યતાઓ અનુસાર અહીંયા આવનાર કોઇ પણ ભક્ત ખાલી હાથે પાછું જતું નથી.
જે અનોખા મંદિરની અમે વાત કરી રહ્યા છે એ મંદિર હૈદરાબાદની સીમાથી લગભગ 40 કિમી દૂર સ્થિકત ચિલ્કુર બાલાજી મંદિર આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે. આ મંદિરમાં લોકો ચઢાવવામાં વિમાન ચઢાવે છે. લોકોનું કહેવું છે કે હવાઇ જહાંજ ચઢાવવાથી વીઝા મળવાનું સરળ થઇ જાય છે.
દર્શનાર્થી જણાવે છે વીઝા માટે દૂતાવાસના ચક્કર મારવા કરતા સારું છે કે ચિલ્કુર બાલાજી મંદિરમાં આવી જાવ. તમારી વીઝા બનવામાં આવતી તમામા અડચણો હટી જશે. જો તમને પણ ઘણા મહિનાથી વીઝા મળી રહ્યા નથી તો આંધ્ર પ્રદેશ સ્થિત ચિસ્કુર બાલાજી ના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરી લો.
આ મંદિરમાં લોકો પોતાની ઇચ્છાઓ લઇને પણ આવે છે અને એમની મનોકામના જલ્દી પૂર્ણ થાય છે.