ગુરૂ ગ્રહ અસ્ત થવો વૈદિક જ્યોતિષમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દેવગુરૂ બૃહસ્પતિ 1 એપ્રિલ 2023એ સાંજે 07 વાગીને 12 મિનિટ પર મીન રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. જેનો પ્રભાવ જાતકના જીવન અને દેશ દુનિયા પર જોવા મળશે.
મીન રાશિમાં અસ્ત થશે ગુરૂ
બધા પર જોવા મળશે તેનો પ્રભાવ
આ રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન
કોઈ પણ ગ્રહના અસ્ત અથવા અદિત થવાથી વ્યક્તિના જીવન અને દેશ-દુનિયા પર તેની ખૂબ જ અસર પડે છે. ગુરૂ બૃહસ્પતિ જે દેવતાઓનો ગુરૂ કહેવામાં આવે છે. વૈદિક જ્યોતિષમાં બૃહસ્પતિ સૌથી સારી દ્રષ્ટિ વાળો ગ્રહ માનવામાં આવે છે.
પંડિત અરૂણેશ કુમાર શર્માના જણાવ્યા અનુસાર દેવગુરૂ બૃહસ્પતિ 1 એપ્રિલ 2023એ સાંજે 7 વાગીને 12 મિનિટ પર મીન રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. તેના બાદ દેવગુરૂ બૃહસ્પતિ મેના પહેલા સપ્તાહમાં મેષ રાશિમાં ઉદિત થશે.
બૃહસ્પતિના અસ્ત થવાથી અમુક રાશિના લોકો પર નકારાત્મક પ્રભાવ પડશે. વૈદિક જ્યોતિષના અનુસાર દેવગુરૂના અસ્ત થવાથી માંગલિક કાર્યો પર પણ રોક લાગી જાય છે. આવો જાણીએ ગુરૂ બૃહસ્પતિના અસ્ત થવા પર કયા જાતકોને સાવધાન રહેવું પડશે.
મેષ
મેષ રાશિના જાતકોને બૃહસ્પતિ નવમાં અને બારમાં ભાવનો સ્વામી છે. આ રાશિના જાતકોને થોડુ સંભાળીને રહેવાની સવાહ આપવામાં આવે છે. આ જાતકોને કાર્યસ્થળ પર ખૂબ જ મહેનત કર્યા છતાં તમારા અને તમારા સિનિયરની વચ્ચે અમુક સમસ્યાઓ પેદા થઈ શકે છે. સાથે જ તમને કામના સિલસિલામાં જબરદસ્તી વિદેશ યાત્રા પર મોકલવામાં આવી શકે છે. જેના કારણે તમે થોડું અસંતુષ્ટિનો અનુભવ કરશો.
વૃષભ
વૃષભ રાશિના જાતકોને બૃહસ્પતિ આઠમાં અને અગિયારમાં ભાવના સ્વામી છે. આ રાશિના જાતકોએ પોતાના પ્રયત્નોમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. નોકરીયાતોના રૂપમાં કાર્યસ્થળનો અસંતોષજનક માહોલ પોતાની ચિંતાનું કારણ બની શકે છે.
મિથુન
મિથુન રાશિના જાતકો માટે બૃહસ્પતિ સાતમા અને દસમા ભાવનો સ્વામી છે. પેશેવર રૂપથી આ રાશિના જાતકો માટે કરિયરમાં પ્રગતિ સંભવ છે. જો તમે ભાગીદારી વ્યાપાર કરી રહ્યા છો તો આ સમયગાળામાં ભાગીદારીની સાથે સંબંધમાં અમુક સમસ્યાઓ આવી શકે છે. જેની અસર તમારા વ્યાપાર પર પણ પડશે.
કર્ક
કર્ક રાશિના જાતકો માટે બૃહસ્પતિ છઠ્ઠા અને નવમા ભાવનો સ્વામી છે. આ રાશિના જાતકોને મિત્રો અને પ્રિયજનોની સાથે સંબંધ ખરાબ હોઈ શકે છે. સાથે જ તમારી છવિ પર પણ નકારાત્મક અસર પડી શકે છે.
સિંહ
સિંહ રાશિના જાતકો માટે બૃહસ્પતિ પાંચમા અને આઠમા ભાવનો સ્વામી છે. આ રાશિના જાતકો માટે મિત્રો અને પ્રિયજનોની સાથે સંબંધ ખરાબ થઈ શકે છે સાથે જ તમારી છવિ પર પણ નકારાત્મક અસર પડી શકે છે.
કન્યા
કન્યા રાશિના જાતકો માટે બૃહસ્પતિ ચોથા અને સાતમા ભાવનો સ્વામી છે. આ રાશિના જાતરો પર વરિષ્ઠો દ્વારા કામનું વધારે દબાણ નાખવામાં આવી શકે છે. સાથે જ નોકરીમાં ફેરફારની સંભાવના વધારે છે. જો પોતનો વ્યવસાય ચલાવી રહ્યા છો તો આ સમયગાળામાં હાનિ થવાની સંભાવના વધારે છે.
તુલા
તુલા રાશિના જાતકો માટે બૃહસ્પતિ ત્રીજા અને છઠ્ઠા ભાવનો સ્વામી છે. આ સમય દરમિયાન કાર્યસ્થળ પર કામ કરવાના મામલામાં સહજતા બની રહેશે. પરંતુ વરિષ્ઠોની સાથે તમને સંબંધમાં અમુક સમસ્યાઓ આવી શકે છે અને આ તમારી ચિંતાનું મુખ્ય કારણ બની શકે છે. પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છો તો આ સમયગાળામાં તમને લાભ થઈ શકે છે પરંતુ બની શકે છે કે તમારી અપેક્ષા થોડી ઓછી હોય.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતક માટા બૃહસ્પતિ બીજા અને પાંચમા ભાવનો સ્વામી છે. આ સમયે તમને આર્થિક સમસ્યાઓથી પણ પસાર થવું પડી શકે છે. કાર્યસ્થળ પર તમને અમુક સમસ્યાઓ જેવી કે તમારા કામની સરાહના ન કરવામાં આવે, સહકર્મિઓનો વધારે સહયોગ ન મળે વગેરેનો સામનો કરવો પડી શકે છે.
ધન
ધન રાશિના જાતકો માટે બૃહસ્પતિ પ્રથમ/લગ્ન અને ચોથા ભાવનો સ્વામી છે. દેવગુરૂ બૃહસ્પતિને અસ્ત થવાના કારણે તમને ધીમી ગતિથી પરિણામ પ્રાપ્ત થશે. નોકરી છૂટ જેવી સ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ કોઈ કારણથી હાલના કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠા પ્રભાવિત થઈ શકે છે.
મકર
મકર રાશિના જાતકો માટે બૃહસ્પતિ ત્રીજા અને બારમાં સ્થાનનો સ્વામી છે. તેના કારણે તમને પારિવારિક જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. તમને તમારા વરિષ્ઠોની સાથે સંબંધમાં અમુક મતભેદોનો સામનો પણ કરવો પડી શકે છે. બની શકે છે કે નોકરીમાં તમે જે વસ્તુઓની આશા લગાવીને બેઠા છો તે તમને ન મળે.
કુંભ
કુંભ રાશિના જાતકો માટે બૃહસ્પતિ બીજા અને અગિયારમાં ભાવનો સ્વામી છે. તેના કારણે તમને તમારા જીવનમાં અમુક અસફળતાઓ અને અચાનક ફેરફારનો સામનો કરવો પડી શકે છે. આ સમયે તમારી સામે અમુક એવી સમસ્યાઓ આવી શકે છે જેની તમે વધારે આશા પણ નહી રાખી હોય. જેમ કે નોકરીમાં ફેરફાર થઈ શકે છે.
મીન
મીન રાશિના જાતકો માટે બૃહસ્પતિ પ્રથમ અને દશમા ભાવના સ્વામી છે. આ સમયે કામના વધારે દબાણના કારણે તમને માનસિક સ્ટ્રેસ થઈ શકે છે. પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છો તો આ સમયે તમને હાનીની સ્થિતિમાંથી પસાર થવું પડી શકે છે. એવામાં કોઈ નવા વ્યવસાયની શરૂઆત કરવી એક ખોટુ પગલું સાબિત થઈ શકે છે.