દરેક વ્યક્તિને પોતાના ભવિષ્યની ચિંતા હોય છે અને તેના માટે તે અલગ અલગ યોજનામાં પૈસા ઇનવેસ્ટ કરે છે પરંતુ આ યોજનામાં 55 રૂપિયા ભરીને 36000 રૂપિયા પરત મળશે.
મહિને 55 રૂપિયા ભરીને મેળવો 36000 પેન્શન
વૃદ્ધાવસ્થાના ટેન્શનમાંથી મુક્તિ મેળવી લો
જાણો સમગ્ર પ્રોસેસ અને લાભ ઉઠાવો
પોતાની વૃદ્ધાવસ્થા માટે પરેશાન લોકોએ હવે પરેશાન થવાની જરૂર નથી. કારણકે મોદી સરકારની પેન્શન યોજના હેઠળ તમે વૃદ્ધાવસ્થા માટે અત્યારથી પ્લાનિંગ કરીને ભવિષ્ય સેફ કરી શકો છો.
36000 હશે પેન્શન
આ પેન્શન યોજનામાં સૌથી ખાસ છે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના. મોદી સરકારની આ પેન્શન યોજનામાં વર્ષે 36000 રૂપિયા પેન્શન મળશે. આ સ્કીમમાં 18 થી 40 વર્ષની ઉંમરના લોકો જોડાઇ શકે છે અને આ 36000 રૂપિયા પેન્શન 3000 રૂપિયાના હિસાબે આપવામાં આવશે. આ યોજનાનો ફાયદો 36 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને મળી રહ્યો છે. જેના માટે 3.52 લાખ કોમન સર્વિસ સેન્ટર પણ છે.
કેવી રીતે ઉઠાવશો લાભ
આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમે કોઇ પણ જનસેવા કેન્દ્રમાં જઇને પોતાનું PM-SYM ખાતુ ખોલાવી શકો છો. યોજનામાં અપ્લાય કરવા માટે તમારી પાસે જરૂરી દસ્તાવેજ હોવા જોઇએ જેમકે આધાર કાર્ડ અને પાસબૂક.