રાજ્યમાં ડેન્ગ્યુનો કહેર યથાવત છે. સુરત, રાજકોટ અને વડોદરા સહિતમાં ડેન્ગ્યુના દર્દીઓ વધી રહ્યાં છે. સુરતમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. એટલે ગત વર્ષની સરખામણીએ સુરતમાં આ વર્ષે ડેન્ગ્યુના દર્દીઓ વધ્યા છે.
સુરતમાં વર્ષ 2018માં નવી સિવિલમાં 680 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા. જ્યારે 2019માં 1228 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. તો વડોદરામાં પણ ડેન્ગ્યુથી 4 દિવસમાં 5 લોકોના મોત થયા છે અને અત્યારસુધી 894 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ડેન્ગ્યુનું પ્રમાણ વધ્યું છે. જ્યારે રાજકોટમાં ડેન્ગ્યુથી વધુ એકનું મોત થયું છે. અને અત્યાર સુધી રાજકોટમાં 13 લોકોના મોત નિપજ્યા છે. અને વધુ 53 કેસ નોંધાયા છે.