શાહીન બાગ પર પ્રદર્શનકારીઓને હટાવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. સ્થળ પર ભારે સંખ્યામાં પોલીસ દળ લાદી દેવામાં આવ્યું છે. શાહીન બાગમાં લગભગ 100 દિવસથી ધરણા ચાલી રહ્યા છે. કોરોના વાયરસને કારણે પોલીસ પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ રીતે ખસેડી રહી છે. તેમજ ટેન્ટ તથા ત્યા રહેલા સામાનને કોરોના વાયરસને કારણે હટાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.
CAA-NRCની વિરુદ્ધ લગભગ 100 દિવસથી ધરણા ચાલી રહ્યા છે.
પોલીસે અપીલ કરી કે કોરોના વાયરસને કારણે પ્રદર્શન સ્થળ ખાલી કરો
દિલ્હીના શાહીન બાગમાં છેલ્લા 100 દિવસથી સીએએ અને એનઆરસીને લઈને ધરના ચાલી રહ્યા છે. તેમને હટાવવા માટે કામગીરી શરુ કરી દેવામાં આવી છે. પ્રદર્શનકારીઓને હટાવવા માટે મંગળવારે સવારે દિલ્હી પોલીસના અધિકારીઓ અને પોલીસકર્મીઓનું દળ પ્રદર્શન સ્થળ પર પહોંચી છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તે ધરણા પ્રદર્શન ખાલી કરી દે.
સોમવારથી આ કામગીરી શરુ થઈ ગઈ હતી.
શાહીન બાગમાં ભારે પોલીસ ફોર્સ લાદી દેવામાં આવી છે. તેમજ પ્રદર્શન કારીઓના ટેન્ટ હટાવી દેવામાં આવી છે. સ્થળ પર દિલ્હી પોલીસના જવાનોની સાથએ અર્ધ સૈનિક દળના જવાનો પણ હાજર છે. પોલીસનુ કહેવું છે કે કોરોના વાયરસને લીધે એવી પરિસ્થિતિ બની છે કે એકાએક પ્રદર્શન સ્થળ ખાલી કરાવવાની સ્થિતિ ઉભી થઈ છે. ઉલ્લેખનીય છે કે સોમવારથી આ કામગીરી શરુ થઈ ગઈ હતી.
કોરોનાને કારણે જ આ કામગીરી કરવામાં આવી
દિલ્હી પોલીસનું કહેવું છે કે કોરોના વાયરસને કારણે કેટલાય શહેરમાં લોકડાઉન છે. દિલ્હી પણ લોકડાઉન છે. અમે શાહીન બાગના લોકોને અપીલ કરી છે કે તે સ્થળ પરથી હટી જાય . અમે લોકોને કોરોનાને લીધે શાંતિપૂર્ણ રીતે હટાવી રહ્યા છીએ. જેથી લોકોને સલામત રાખી શકાય. કોઈને પણ કોઈ ખતરો ન ઊઠાવો પડે. કેમ કે આ બિમારી ખૂબ ગંભીર છે.