દિલ્હીમાં કડક લોકડાઉનની સ્પસ્ટ અસર જોવા મળી છે સતત બીજા દિવસે કોરોનાના કેસો અને મોતની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
દિલ્હીમાં કોરોનાની બીજી લહેર હળવી પડી
છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં ફક્ત 12,651 નવા કેસ
319 લોકોના મોત, 13,306 લોકો સાજા થયા
કોરોના સંકટની વચ્ચે દિલ્હીવાસીઓ માટે રાહતની ખબર છે.દિલ્હીમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ફક્ત 12,651 નવા કેસો નોંધાયા છે અને 319 લોકોના મોત થયા છે. 13,306 લોકો સાજા થયા છે. સ્વાસ્થ્ય વિભાગ વતી જારી બુલેટિનમાં જણાવાયું છે કે દિલ્હીમાં 28 દિવસ બાદ કોરોનાના નવા સંક્રમિતોની સંખ્યા 13,000 થી નીચે આવી છે.
દિલ્હીમાં સંક્રમણ દર પણ ઘટ્યો, 19.10 ટકા રહ્યો
દિલ્હીમાં સંક્રમણ દર પણ ઘટ્યો છે. સોમવારે પોઝિટિવિટી રેટ 20 ટકાથી પણ નીચે 19.10 ટકા રહ્યો છે. 28 દિવસ બાદ કોરોના નવા સંક્રમિતોની સંખ્યા 13,000 થી નીચે આવી છે.
દિલ્હીમાં એક અઠવાડિયું લોકડાઉન વધારવામાં આવ્યું
દિલ્હીમાં કોરોના મહામારીને કાબૂમાં લેવા માટે લોકડાઉનનો સમયગાળો એક અઠવાડિયા સુધી વધારવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી.તેમણે જણાવ્યું હતું કે તા. 17 મેના રોજ સાંજે 5:00 વાગ્યા સુધી દિલ્હીમાં લૉકડાઉન લંબાવામાં આવ્યું હતું. આ સાથે જ નિયમો વધુ કડક બનાવવામાં આવી રહ્યું છે. સોમવારથી દિલ્હીમાં મેટ્રો કામગીરી પણ બંધ કરવામાં આવી રહી છે. દિલ્હીમાં ઓક્સિજનની સૌથી મોટી સમસ્યા આવી, આપણે અચાનક સામાન્ય કરતા અનેક ગણા ઓક્સિજનની જરૂરિયાત શરૂ કરી. છેલ્લા કેટલાક દિવસોમાં કેન્દ્ર સરકારના સહયોગથી અને સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના આદેશથી હવે દિલ્હીની અંદર ઓક્સિજનની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે.