કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે દિલ્હી પોલીસને સલાહ આપી કે તેમણે તોફાની તત્વોથી 'કડક' રીતે કામ લેવા તૈયાર રહેવુ જોઇએ અને સાથે જ 'ઉશ્કેરણીઓ' બાદ પણ શાંત બની રહેવુ જોઇએ. દિલ્હી પોલીસના 73માં સ્થાપના દિવસ સમારોહમાં શાહે તેને દેશ અને દુનિયાની અગ્રણી મેટ્રોપોલિટન પોલીસ ફોર્સમાંથી એક બતાવી.
ગૃહમંત્રીની દિલ્હી પોલીસને સલાહ, તેમણે તોફાની તત્વોથી 'કડક' રીતે કામ લેવા તૈયાર રહે
જામિયામાં પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાનો વીડિયો સામે આવ્યો
દિલ્હી પોલીસના સ્થાપનાના દિવસે વીડિયો સામે આવ્યો, પોલીસની છબી પર સવાલ ઉભા થયા
તેઓએ કહ્યું કે, જે કોઇ ભૂલ કર્યા વિના ગરબડ ફેલાવવાની કોઇપણ પ્રકારના પ્રયાસને નિષ્ફળ બનાવી દે છે. ગૃહમંત્રીનું નિવેદન એવા સમયે આવ્યું જ્યારે દિલ્હી પોલીસના સ્થાપનાના દિવસે એક એવો વીડિયો સામે આવ્યો જે પોલીસની છબી પર ગંભીર સવાલ ઉભા કરે છે.
રવિવારે જ જામિયા મિલિયા ઇસ્લામિયામાં પોલીસની કથિત માર માર્યાના બે મહીના બાદ એક નવો વીડિયો સામે આવ્યો, જેમા અર્ધસૈનિક દળ અને દિલ્હી પોલીસના જવાન ગત વર્ષે 15 ડિસેમ્બરે યૂનિવર્સિટીની લાઇબ્રેરીમાં બેસીને વાંચી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરતા દેખાઇ રહ્યા છે.
બીજી તરફ દિલ્હી પોલીસના સ્થાપના દિવસ સમારોહમાં ગૃહ મંત્રી અમિત શાહે દેશના પહેલા ગૃહ મંત્રી સરદાર વલ્લભ ભાઇ પટેલના 1950માં આપેલા એક ભાષણનો હવાલો આપતા કહ્યું, ગુસ્સા અને ઉશ્કેરણીઓ છતા દિલ્હી પોલીસે શાંત બની રહેવું જોઇએ પરંતુ તેણે લોકોની રક્ષા માટે તોફાની તત્વોની સાથે કડક હાથે પગલા લેવા માટે પણ તૈયાર રહેવું જોઇએ. અમિત શાહે કહ્યું, હું માનું છું કે દિલ્હી પોલીસે તમામ મામલામાં સરકાર પટેલની આ સલાહનું દિલથી પાલન કર્યું છે.
ગૃહ મંત્રીએ દિલ્હી પોલીસની જબરદસ્ત પ્રશંસા કરતા કહ્યું કે સ્વતંત્રતા દિવસ, ગણતંત્ર દિવસ સમારોહ, તહેવારો અને વિદેશી મહેમાનોની યાત્રાઓ જેવા મહત્વપૂર્ણ અવસરો પર તે સરકારની ઘણી મદદ કરે છે. અમિત શાહે સાથે કહ્યું કે પોલીસની રચનાત્મક ટીકાનું સ્વાગત છે પરંતુ એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઇએ કે ડ્યૂટી કરતા 35,000થી વધારે પોલીસ કર્મીઓએ પોતાના જીવનનું બલિદાન આપી દીધું છે.