સ્વાસ્થ્ય મંત્રાલયે પણ ચિંતા વ્યક્ત કરી છે અને દિલ્હીને દેશના 10 સૌથી અસરગ્રસ્ત શહેરોની યાદીમાં રાખ્યું છે.
દિલ્હીને દેશના 10 સૌથી અસરગ્રસ્ત શહેરોની યાદીમાં રાખ્યું
20 દિવસમાં અહીં સ્થિતિ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે.
વધતા મામલાની સાથે સક્રિય દર્દીઓની સંખ્યા અને સંક્રમણ દર સ્પીડથી વધી રહ્યો
દિલ્હીને દેશના 10 સૌથી અસરગ્રસ્ત શહેરોની યાદીમાં રાખ્યું
દેશમાં ચાલી રહેલા કોરોના સંક્રમણની બીજી લહેરની અસર દિલ્હીમાં પણ જોવા મળી રહીછે. 20 દિવસમાં અહીં સ્થિતિ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે. કોરોનાના સંક્રિય મામલા, મોતના આંકડા, સંક્રમણના દર, સરેરાશ દૈનિક મામલા અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં દરેક અઠવાડિયામાં વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિ પર સ્વાસ્થ્ય મંત્રાલયે પણ ચિંતા વ્યક્ત કરી છે અને દિલ્હીને દેશના 10 સૌથી અસરગ્રસ્ત શહેરોની યાદીમાં રાખ્યું છે.
24થી 30 માર્ચની વચ્ચે 1912 કેસ આવ્યા છે
રાજધાનીમાં 10થી 16 માર્ચ દરમિયાન કોરોનાના 698 મામલા આવ્યા છે. જ્યારે 24થી 30 માર્ચની વચ્ચે 1912 કેસ આવ્યા છે. આ પ્રકારે મોતના મામલામાં પણ વધારો થઈ રહ્યો છે. 10થી 16 માર્ચની વચ્ચે 4 લોકોના મોત થયા હતા. જ્યારે 24થી 30 માર્ચે આ આંકડો વધીને 11 થઈ ગયો છે. કુલ દર્દીઓની વાત કરીએ તો ગત 20 દિવસમાં તે 19 હજાર લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે.
વધતા મામલાની સાથે સક્રિય દર્દીઓની સંખ્યા અને સંક્રમણ દર સ્પીડથી વધી રહ્યો
જે ફેબ્રુઆરીમાં આવેલા કુલ મામલાથી પણ વધારે છે. વધતા મામલાની સાથે સક્રિય દર્દીઓની સંખ્યા અને સંક્રમણ દર સ્પીડથી વધી રહ્યો છે. 20 દિવસમાં 5550 સંક્રિય મામલા વધી રહ્યા છે. સંક્રમણ દર પણ 2.70 ટકા થઈ ગયો છે. જે 10 માર્ચ સુધી 0.52 હતો. સંક્રમણ પર લગામ લગાવવા માટે સરકાર રેડ ઝોનમાં વધારો કરી રહી છે. 10 માર્ચથી અત્યાર સુધી 1400થી વધારે રેડ ઝોન બનાવવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે હોસ્પિટલમાં દર્દીઓ વધી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી લગભગ 70 ટકા બેડ ખાલી છે કે સરકાર દર્દીઓની સંખ્યા અને સતત નજર બનાવી રાખી છે. જો આવનારા દિવસોમાં આ સંખ્યા આ પ્રકારે વધતી રહેશે તો બેડનીસંખ્યા પણ વધારવામાં આવશે. સંક્રમણ પર કાબુ કરવા માટે કડક પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે. રોજના સરેરાશ 90 હજાર ટેસ્ટ થઈ રહ્યા છે. કોન્ટેક્સ ટ્રેસિંગ કરવામાં આવી રહી છે. સાથે બહારથી આવનારા લોકો પર નજર રખાઈ રહી છે.
દિલ્હીમાં કોરોનાની દર્દીના બેડની સ્થિત
કુલ બેડ- 5806
દાખલ દર્દી- 1681
વેન્ટિલેટર વાળા બેડ-787
દાખલ દર્દી-278
કુલ આઈસીયુ બેડ- 229
દાખલ દર્દી-383
ફેબ્રુઆરી મહિનામાં સંક્રમણના મામલા ઘણી ઘટ્યા છે. જેનાથી લોકોમાં કોરોનાનો ડર ખતમ થવા લાગ્યો હતો. ઘણા સમયથી લોકો માસ્ક નહોંતા લગાવી રહ્યા. અને ન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરી રહ્યા . આ કારણ છે કે હવે સંક્રમણના મામલા સ્પીડથી વધી રહ્યા છે. તેમણે કહ્યું કે સ્પીડથી વધતા કેસ ચિંતાનો વિષય છે. જો આવનારા દિવસોમાં દિલ્હીમાં કોરોનાની ચૌથી લહેરની શક્યતાને રોકવાની છે તો લોકોને મોટી સંખ્યામાં રસીકરણ માટે આવવું પડશે. - ડો. આર. એસ. રૌતેલા, ચિકિત્સ ડિરેક્ટર, જીટીબી હોસ્પિટલ