દિલ્હીના જયપુર ગોલ્ડન હોસ્પિટલના MD ડૉક્ટર ડીકે બલૂજાએ દાવો કર્યો કે કાલે સાંજે ઑક્સિજનની જરૂરીરિયાતમાં કમીના કારણે અંદાજિત 20 ખુબ જ ગંભીર દર્દીઓના મોત થઇ ગયા છે
દિલ્હીની વધુ એક હોસ્પિટલ સરોજ હોસ્પિટલમાં પણ ઑક્સિજનની ભારે અછત થઇ ગઇ છે. હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું છે કે, ઑક્સિજનની અછતના કારણે નવા દર્દીઓને દાખલ નથી કરી રહ્યા અને અમે દર્દીઓને ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ.
300થી વધુ જિંદગી દાવ પરઃ બત્રા હોસ્પિટલ
દિલ્હીની હોસ્પિટલમાં ઓક્સિજનની અછતની સમસ્યા અટકવાનું નામ જ નથી લઈ રહી. હવે દિલ્હીની બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનને લઈને ગંભીર સંકટ ઉભુ થઈ રહ્યુ છે. હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું કે, આજે સવારે 7 વાગ્યે ઓક્સિજન પૂર્ણ થઇ ગયું હતું. રોજ અંદાજિત 7000 લીટર ઓક્સિજનની જરૂરિયાત પડે છે અને હજુ 500 લીટર ઓક્સિજન મોકલવામાં આવ્યું છે જે થોડીવાર સુધી જ ચાલશે. પરિસ્થિતિ ફરી બેકાબૂ થઇ ગઇ છે. 300થી વધુ જિંદગી જોખમમાં છે જેમાં 48 આઈસીયૂમાં દાખલ છે અને તેની જિંદગી પર સવાલ ઉભા થઇ ગયા છે. જલ્દીથી ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવે.
બિહારમાં બીડીઓની મોત
આ તમામની વચ્ચે બિહારના સીવાન જિલ્લાના હુસૈનગંજના બીડીઓ મનીષ પ્રસાદનું પટનામાં નિધન થયુ છે. મનીષા અનેક દિવસોથી કોરોના પોઝિટિવ હતા અને તેમની પટનામા સારવાર ચાલી રહી હતી. તો ભોપાલમાં રેમડેસિવિરની કાળાબજારીના આરોપમાં ખાનગી હોસ્પિટલની કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે.
વધુ 4 ઓક્સિજન ટેંકર લખનૌ આવી રહ્યા છે
અધિકારીઓના જણાવ્યાનુસાર લગાવવામાં આવેલા ઓક્સિજન ટેંકર અલગથી લોકોને હોસ્પિટલોમાં રાહત આપશે. કેમ કે આને અલગથી રાખવામાં આવશે. તેમને અલગથી ઓક્સિજન ફિલિંગ સેન્ટરપમાં મોકલવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યુ કે 4 ટેન્કર જલ્દી લખનૌ પહોંચશે. જો કે બીજા સ્ત્રોતોમાંથી પણ લિક્વિડ ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમને ઓક્સિજનની જરુર છે તેમને ઈમરજન્સીમાં મદદ પહોંચાડવામાં આવશે.
ઓક્સિજન એક્સપ્રેસને લઈને પીયુષ ગોયલનું ટ્વીટ
કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે ઓક્સિજન એક્સપ્રેસને લઈને ટ્વીટ કર્યુ કે સરકાર દ્વારા દેશમાં ઓક્સિજન આપૂર્તિનું કાર્ય નિરંતર જારી છે.
PM @NarendraModi जी की सरकार द्वारा देश भर में ऑक्सीजन आपूर्ति का कार्य निरंतर जारी है।
बोकारो-लखनऊ के बीच, दूसरी 'ऑक्सीजन एक्सप्रेस' के माध्यम से वाराणसी में भी ऑक्सीजन आवश्यकता की आपूर्ति की गयी।
ગ્વાલિયરના સૌથી મોટા હોસ્પિટલમાં મેડિશિન વિભાગમાં ઓક્સિજન ખતમ થઈ ગયો
બિહારમાં સરકારે ફરી કોરોનાની સારવારની વ્યવસ્થા પર પટના હાઈકોર્ટ નજર રાખશે. હાઈકોર્ટે એક ઈ મેલ જારી કરી તમામ જિલ્લાની વ્યવસ્થાની જાણકારી જિલ્લાધિકારીઓ પાસે માંગી છે. ગ્વાલિયરના જેએચ જયારોગ્ય ચિકિત્સાલય ગ્વાલિયરના સૌથી મોટા હોસ્પિટલમાં મેડિશિન વિભાગમાં ઓક્સિજન ખતમ થઈ ગયો છે. હોસ્પિટલ સ્ટાફ દર્દીઓને શિફ્ટ કર્યા છે. હોસ્પિટલમાં 25થી 50 દર્દી ઓક્સિજન પર હતા.